By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: હવે કોર્પોરેટરોને અરજદાર બનાવવાની યોજના !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

હવે કોર્પોરેટરોને અરજદાર બનાવવાની યોજના !

agragujaratnews
Last updated: 2024/06/27 at 7:34 PM
1 year ago
Share
હવે કોર્પોરેટરોને અરજદાર બનાવવાની યોજના !
SHARE

લોકશાહિના મૂળભુત સિધ્ધાંતોથી અલગ ચાલ ચાલતાં ભાજપ પ્રમુખ  મૂકેશ દોશી

પક્ષના કાર્યકરો ટોચના નેતાઓ પાસેથી નૈતિક મૂલ્યો શીખે છે,તેમની શિસ્તમાં રાખવા મોટા નેતાઓએ અણીશુધ્ધ પ્રમાણિકતા કેળવવી પડે

ભારતિય જનતા પાર્ટી હવે એક કંપનીની જેમ ચાલવા માંડી છે. ગોધુમલ આહુજા,કેશુભાઇ પટેલ, અરવીંદભાઇ મણિયાર,ચીમનભાઇ શુકલ અને અન્ય અનેક કર્મઠ નેતાઓએ ખુન પસીનાથી ઉભી કરેલી ભાજપ આજે સમયના એ ત્રિભેટે આવીને ઉભી છે કે આગળ પાર્ટી કઇ તરફ જશે તે નકકી નથી. ટીઆરપી કાંડના આઘાત પ્રત્યાઘાત જેટલાં સમાજમાં ઉભા થયા છે એટલાં જ ભાજપમાં થયા છે. ભાજપ એક નહિ અનેક છાવણીમાં વિખરાઇ ગયો છે. જેમાં બહુમતી વર્ગ હાલ અનુભવ અને સિનિયોરિટી ધરાવતો હોવા છતાં કોઇને કોઇ કારણસર હાંસિયામા ધકેલાઇ ગયો છે. પક્ષમાં પૂર્વ કેન્દ્રિય મંત્રીઓ, પૂર્વ રાજય મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ નિગમના ચેરમેનો અને પક્ષના સંગઠનની ધરી રહી ચુકેલા લોકો હાંસિયામાં ધકેલાઇ ગયા છે.જેને ભાજપના વર્તુળમાં વ્યંગમાં વૃધ્ધાશ્રમ યોજના પણ કહેવાય છે.

Contents
લોકશાહિના મૂળભુત સિધ્ધાંતોથી અલગ ચાલ ચાલતાં ભાજપ પ્રમુખ  મૂકેશ દોશીપક્ષના કાર્યકરો ટોચના નેતાઓ પાસેથી નૈતિક મૂલ્યો શીખે છે,તેમની શિસ્તમાં રાખવા મોટા નેતાઓએ અણીશુધ્ધ પ્રમાણિકતા કેળવવી પડે

બીજુ હાલમાં સંગઠનના પદ ઉપર રહેલાં અને પદ પાછળથી દોરી સંચાર કરતાં કેટલાક મહત્વના નેતાઓ પક્ષનું સંગઠન ચલાવે છે. આવા નેતાઓ પક્ષમાં જ આંતરવિરોધનો શિકાર છે. ગત લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનમાં ડેમેજમેનેજમેન્ટ ન થઇ શકયુ તે બતાવે છે કે પક્ષ ભૂતકાળની માફક એકજુટ નથી.

હવે ટીઆરપી કાંડને પગલે ઉઠેલી ફરિયાદો બાદ શહેર ભાજપ પ્રમુખ મૂકેશ દોશીએ એક આદેશ કર્યો છે. જે મુજબ કોર્પોરેટર વગેરેએ અધિકારીઓ પાસે કામ કરાવવા માટે લેખિત ફરિયાદ આપવી પડશે. જેનો સીધો મતલબ એ થશે કે તમામ ચૂંટાયેલા કોર્પોરેટર અને પદાધિકારીઓ હવે અરજદાર બની જશે.દરેક બાબતમાં લીખાપટ્ટી એ ઉપાય નથી.

મનપાએ વોટસેપ ઉપર નાગરિકોની ફરિયાદ માટે વ્યવસ્થા ઉભી કરી છે. તેના હાલ કેવા છે એ એક વખત મૂકેશ દોશીએ જોવુ જોઇએ. કોઇ અધિકારીને અરજદાર એક વખતથી વધુ ફોન કરે છે તો તેમને જવાબ આપવાનું બંધ થઇ જાય છે. મુનસુફી મુજબ ફોનના જવાબ અપાયે છે. અધિકારીઓ મોટા ભાગે જવાબ ન આપવાનો અધિકાર ધરાવે છે. તેમને જવાબ ન આપવા બદલ કોઇ સજા થઇ હોય એવો દાખલો મૂકેશ દોશી બેસાડી શકે એ અપેક્ષિત છે.

અધિકારીઓને બફામ સતા આપી સાગઠિયાનું સર્જન કરનારી સિસ્ટમ ફરી વખત એ જ ભુલ નથી કરતી ને ? દીવાની દાઝે કોડિયાને બટકાં ભરવાના પ્રયોગો લોકશાહિની મૂળ વ્યવસ્થા ઉપર ઘા કરનારા તો નથી બનતાંને. મનપાના અધિકારીઓને વધુ સતા આપી મૂકેશ દોશી વધુ માત્રામાં સાગઠિયા,ઠેબા,ખેરનું સર્જન કરવાના ભયજનક રસ્તે તો નથી જઇ રહયા ને ? આ સવાલ ઉભો થવો જોઇએ.

જો કોર્પોરેટરોની અને પદાધિકારીઓની રજૂઆતની મૂળભૂત સતા લઇ લેવાની હોય તો કોર્પોરેટરોની ચુંટણી કરવાને બદલે માત્ર પક્ષમાંથી એક સી.ઇ.ઓ.ને મનપાનો વહિવટ સોંપી દેવાનો નવો વિકલ્પ વિચારી શકાય. આમ પણ સાગઠિયા વગેરેનું સર્જન  કોર્પોરેટરો કે મધ્યમ હરોળના નેતાઓની દેન નથી. એ મોટા નેતાઓના સી.ઇ.ઓ. સ્ટાઇલના સંકલનથી ઉભી થયેલી સિસ્ટમની ગંદકી છે. જેનું પરિણામ ર૭ માણસોને મોતમાં ધકેલી દેવાથી આવ્યુ છે.

સુધરેલી ભાષામાં જેને કોસ્મેટિક મેઝર કહેવાય છે. એ ઉપરછલ્લા પગલાંથી મૂકેશ દોશી ભાજપનું નવસર્જન નહિ કરી શકે. કોર્પોરેટરોની વોર્ડ પ્રમુખો કે લોકપ્રતિનિધિઓની પાંખો કાપી મૂકેશ દોશી પારદર્શકતા લાવી શકશે વહિવટમાં સુધાર લાવી શકશે એ બાબત શંકાસ્પદ છે. હાલના પક્ષનું નવસર્જન કરવા માટે ભાજપના પૂર્વ સૂરીઓની નૈતિકતા અને શિસ્ત જ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અરવિંદભાઇ મણિયાર અને ચીમનભાઇ શુકલએ જનસંઘ ભાજપનું સર્જન ટાંચા સાધનોથી કર્યુ હતું. આજનો ભાજપ એ સમયના નેતાઓના પાયા ઉપર નવપલ્લવિત થયો છે. ભાજપને જે લુણો લાગ્યો છે એ મોટા નેતાઓના ભ્રષ્ટાચારનો લાગ્યો છે. નાના નેતાઓ અને કોર્પોરેટરો ઉપરથી પક્ષનું તંત્ર ચોખ્ખુ હોય તો ખોટુ કરવાની હિંમત ન કરે. જરૂર છે અરવિદભાઇ મણિયાર અને ચીમનભાઇ શુકલ જેવા સુકાનીઓની જે. પોતે સાધન અને સાધ્ય શુધ્ધી રાખે. વાસ્તવમાં ભાજપની  વર્તમાન પેઢી  નિયો રીચ કલાસ જેવી થઇ ગઇ છે. મા-બાપ સંઘર્ષ કરીને બે પાંદડે થયા હોય.અને  નવી પેઢી કુછંદે ચઢી જાય.

પક્ષના કાર્યકરો કે નેતાઓને શિસ્તમાં રાખવા માટે મોટા નેતાઓની સાધન શુધ્ધીથી શરૂઆત થવી જોઇએ. પરિવારના વડિલો પ્રમાણિક હોય તો સંતાનોમાં પ્રમાણિકતા પાલનની શકયતા વધુ રહે છે. બાકી અધિકારીઓને વધુ સતા આપી લોકશાહિના મૂલ્યો ઉપર કુઠારાઘાત મૂકવાની ચેષ્ટા ખુદ ભાજપને જ ભારે પડી શકે છે. પાવરલેસ કોર્પોરેટર કે સમિતિ ચેરમેન, કે વોર્ડ પ્રમુખ પ્રજાનું ભલુ ન કરી શકે તો પક્ષનું કેમ ભલું કરી શકશે ?

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
PM Modi Visit Maldives : માલદીવના સ્વતંત્રતા દિવસ પર ચીફ ગેસ્ટ બન્યા વડાપ્રધાન મોદી, મુઈજ્જુએ કહ્યું 'સારા ભવિષ્ય માટે રસ્તો ખુલ્યો'
રાષ્ટ્રિય

PM Modi Visit Maldives : માલદીવના સ્વતંત્રતા દિવસ પર ચીફ ગેસ્ટ બન્યા વડાપ્રધાન મોદી, મુઈજ્જુએ કહ્યું 'સારા ભવિષ્ય માટે રસ્તો ખુલ્યો'

By 7 days ago
દુ:ખ સાથે રહો
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?