- રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા PM મોદીની મહત્વની ભૂમિકા
- આંતરરાષ્ટ્રીય એજન્સીના રિપોર્ટમાં મોટો ખુલાસો
- યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો PM મોદીએ અટકાવ્યો
વર્ષ 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી, ડર વધુ ઘેરો થવા લાગ્યો કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની એવી જ કાર્યવાહી કરી શકે છે જે રીતે લગભગ 80 વર્ષ પહેલા અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર કર્યું હતું. પરંતુ હવે સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય એજન્સીના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
આંતરરાષ્ટ્રીય એજન્સીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલને કારણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન પરમાણુ યુદ્ધના ખતરાને સફળતાપૂર્વક ટાળી શકાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની સાથે કેટલાક અન્ય દેશોની સરકારોએ પણ આ સંકટને ટાળવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. અમેરિકન અધિકારીઓના નિવેદનોમાં કહેવામાં આવ્યું છે કે જો બાઇડેન પ્રશાસનને ચિંતા હતી કે રશિયા યુક્રેનિયન શહેરો પર પરમાણુ હથિયારોનો ખતરનાક ઉપયોગ કરી શકે છે.
મહાયુદ્ધની આશંકાઓ વચ્ચે, અમેરિકાએ રશિયાને આવા હુમલાઓ કરતા રોકવા માટે ભારત સહિત અન્ય ઘણા દેશોની મદદ લેવાનું અભિયાન શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર, અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય સહયોગીઓના નિવેદનોએ સંભવિત પરમાણુ સંકટને ટાળવામાં ઘણી મદદ કરી. અમેરિકન અધિકારીએ આ મામલે ખાસ કરીને ભારતના વખાણ કર્યા હતા. અને કહ્યું કે, ભારતે શાંતિ માટે મોટી પહેલ કરી છે.
ભારતે હંમેશા શાંતિનો સંદેશ આપ્યો છે
રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં, ભારતે હંમેશા તટસ્થ ભૂમિકા ભજવી અને બંને પક્ષોની હિંસાની સખત નિંદા કરી. ભારતે પક્ષો લીધા વિના શાંતિપૂર્ણ ઉકેલની હાકલ કરી છે. ગયા વર્ષે, ઉઝબેકિસ્તાનમાં એસસીઓ સમિટના અવસર પર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટમાં પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આ નિવેદનોની મોટી અસર થઈ.
રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને તરફથી હિંસા ફેલાઈ હતી
2022 ના ઉનાળામાં, રશિયન દળો યુક્રેનમાં વિનાશનો ઇતિહાસ લખી રહ્યા હતા, જ્યારે યુક્રેનિયન દળો દક્ષિણમાં રશિયાના કબજા હેઠળના ખેરસન પર આગળ વધી રહ્યા હતા. એટલે કે બંને તરફથી આક્રમકતા જોવા મળી રહી હતી. આવી સ્થિતિમાં અમેરિકા અને ભારત સહિત ઘણા દેશોએ સમગ્ર ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે દબાણ વ્યૂહરચના બનાવી, જે અસરકારક સાબિત થઈ.


