- પૂર્વ એર કમાન્ડર અને કારગિલ યુદ્ધના દિગ્ગજ ભાજપમાં જોડાયા
- દિલીપ પટનાયક રવિવારે ભાજપ જોડાયા
- પાર્ટીઓ તો ઘણી છે પણ હું ભાજપમાં જોડાયો- દિલીપ પટનાયક
ઓડિશામાં પૂર્વ એર કમાન્ડર અને કારગિલ યુદ્ધના અનુભવી એર માર્શલ દિલીપ પટનાયક રવિવારે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભાજપે લોકોને તક આપીઃ દિલીપ પટનાયક
મીડિયા સાથે વાત કરતા દિલીપ પટનાયકે કહ્યું કે, “ભારતીય વાયુસેનાના સભ્ય તરીકે મેં 40 વર્ષ સુધી આ દેશની સેવા કરી છે. ભાજપ એવી પાર્ટી છે જે લોકોને વધુ તક આપશે. ઘણી પાર્ટીઓ છે, પરંતુ હું ભાજપમાં જોડાયો છું. મે મારા કાર્યકાળમાં ઘણા પ્રધાનમંત્રી જોયા. પરંતુ 2014 થી 2022 સુધી મે ઘણા બદલાવ જોયા. તેમણે જે પ્રોમિસ કર્યુ હતુ તે પ્રમાણે કામ કર્યુ છે. અર્થવ્યવસ્થા મામલે 11 થી 5 નંબર પર આવ્યા છીએ. 5 વર્ષમાં મે જે જોયુ તેમાં શું કન્વિન્સ થઇ ગયો કે આ એક જ પાર્ટી છે જે દેશને આગળ લઇ જશે.
ભાજપ જ એક માત્ર પાર્ટી કે દેશે..- દિલીપ પટનાયક
તેમણે આગળ કહ્યું, “મેં પાંચથી છ વડાપ્રધાનો અને તેમના શાસનને જોયા છે. મેં 2014 થી 2022 સુધી ઘણી બધી વસ્તુઓ બદલાતી જોઈ છે. મને વિશ્વાસ છે કે આ એકમાત્ર પાર્ટી છે જે આપણા દેશને આગળ લઈ જશે.” તેમણે કહ્યું પીએમ મોદી અને બીજેપીની વિચારધારાથી પ્રભાવિત છું. મહત્વનું છે કે તેમના સિવાય રિટાયર્ડ IAS ઓફિસર હૃષીકેશ પાંડા અને પાંચ વખતના ધારાસભ્ય અરબિંદા ધાલી પણ રવિવારે ભાજપમાં જોડાયા હતા.


