- લવિંગ કેરી લાકડીયે અધિકારીઓ અને પદાધિકારીઓને માર્યા જો…
- કોને તકલીફ પડે છે ? ખુલ્લા મને કહો, નહીં કહો તો ઉપાધી થશે : ભૂપેન્દ્ર પટેલની ગર્ભિત ચિમકી
- કમિશનર, મેયર અને સ્ન્છને કહ્યું- કબ્જો જમાવો એ ન ચાલે
અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશન, 160થી વધારે નગરપાલિકાઓમાં વિકાસકાર્યો માટે મંગળવારે મહાત્મા મંદિરમાં રૂ.2,084 કરોડના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મ્યુનિસપલ કમિશનર, મેયર સહિતના અધિકારી- પદાધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકદમ હળવા અંદાજમાં બરોબરના ટપાર્યા હતા. ગુજરાતી કહેવત ‘એક રૂપિયો મગનો રાખ્યો હોય તો તેની દાળ પણ નહી લેવાની’ને ટાંકતા તેમણે શહેરી સ્વરાજ્યની સંસ્થાઓના નાણાકીય વહિવટમાં અર્થાત વ્યવસ્થાપનમાં પારદર્શક રહેવા, વિકાસકાર્યોમાં ગુણવત્તાની સાથે કોઈ સમાધાન કે બાંધછોડ ન કરવા સ્પષ્ટપણે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવી શૈલીમાં અધિકારી, પદાધિકારીઓને ગર્ભીત ચિમકી આપતા હોય તેમ ઈશારો પણ કર્યો હતો. ૈંછજી, ય્છજી અને શહેરી સેવાની ચીફ ઓફિસર કેડર તેમજ નગરસેવકો અને તે પૈકીના પદાધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યુ કે,”પૈસાનો સવાલ નથી રહ્યો હવે, પૈસા કેવી રીતે વાપરો છો તેનો સવાલ છે” તેમણે શહેરોમાં સ્વચ્છતાનો મુદ્દો આગળ કરતા સંબોધનમાં જણાવ્યુ હતુ કે ”કોને સ્વચ્છતામાં તકલીફ પડે છે ? અને શુ પડે છે ? કોઈને પણ ખુલ્લામને કહેવાની છૂટ છે. હવે નહીં કહો અને પછી ખરેખર નહી થાય અને પછી ઉપાધી થશે હો. નહી કરો તો ધીમેધીમે એક્શન તો આવે જ છે. તમને દેખાતા તો હશે જ. સ્વચ્છતા તમારે કોઈ પણ હિસાબે કરવી જ રહી” તેમણે જનપ્રતિનિધી એ તો કહેવાની હિંમત રાખવી જ પડશે કહીને શહેરોમાં સ્વચ્છતાથી લઈને નાગરિક સુખાકારી કાર્યોમાં ધ્યાન રાખવા ટકોર કરી હતી.
કમિશનર, મેયર અને સ્ન્છને કહ્યું- કબ્જો જમાવો એ ન ચાલે
હળવી શૈલીએ સંબોધનની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠેય મ્યુનિસિપલ કમિશનર એક જ હરોળમાં બેઠા હોવાથી ”કમિશનર એક થઈ ગયા છે” કહેતા મહાત્મા મંદિરમાં હાસ્યની છોળો ઉછળી હતી. જો કે, ત્યારબાદ ધારાસભ્યો નગરપાલિકા કે કોર્પોરેશન ઉપર કંટ્રોલ કરે તે ન ચાલે, ધારાસભ્ય થઈ ગયા એટલે કબ્જો જમાવે તે ન ચાલે એવું પણ કહ્યું હતું. શબ્દબાણોથી તેમણે ”મેયર થાવ એટલે પછી પોતાના જ વોર્ડમાં કામ કરાવવું અને બીજે ચલાવ્યે રાખવું” કહીને શહેરોમાં દરેક વોર્ડના સરખા કામ થવા જોઈએ તેવી ટકોર કરી હતી. સંબોધનને અંતે તેમણે ”આ બધુ હસતા હસતા કહ્યું છે પણ તમને સૌને જ કહ્યું છે” એમ કહીને સૌને નાગરિકોની આશા અપેક્ષાને પૂર્ણ કરવા સુચવ્યું હતું.
બે મહિના મોડું થાય તો ચાલશે, પણ ક્વોલિટીમાં બાંધછોડ નહીં
શહેરોમાં પહેલા રોડ બની અને પછી ગટર બનાવાય તો પછી શું થાય ? આવી અવ્યવસ્થા, નાણાના વેડફાટમાં પાલિકા જ નહીં પણ સરકારને પણ સાંભળવુ પડે છે. આથી એક્શન ન લેવા પડે તેવા કામો થાય તે જરૂરી હોવાનું કહેતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવુ છે કે, વિકાસ કાર્યોમાં નાણાંની કમી રહેતી નથી. એથી, વિકાસ કામોમાં બે મહિના મોડા થાશે તો ચાલશે પણ તેની ગુણવત્તા- ક્વોલિટીમાં બાંધછોડને ચલાવી નહીં લેવાય.


