- રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અનેક વ્યક્તિઓના મોત
- 33 વર્ષીય રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત
- ગીતગુજરી સોસાયટીમાં રહેતા હતો યુવાન
રાજયમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધારો ચિંતાજનક છે. જેમાં રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં 33 વર્ષના રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરના ગીતગુજરી સોસાયટીમાં રહેતો યુવાન મોતને ભેટ્યો છે.
હોસ્પિટલમાં ફરજ પરના ડોકટર દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો
રાત્રે 3.20 કલાકે બેભાન હાલતમાં રાજકુમાર ગંગાધર આહુજાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટર દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અનેક વ્યક્તિઓના મોત થઇ રહ્યા છે. આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઇકાલે મહેસાણાના સાર્વજનિક હાઇસ્કૂલમાં યાજાયેલા ગરબા રમતી વખતે 23 વર્ષની એક શિક્ષિકાને હાર્ટ એટેક આવતા સારવાર મળે તે પહેલા મૃત્યુ થયું છે.
ગરબા સ્થળે ખાસ આરોગ્યની સુવિધા તૈનાત કરાઈ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માતાજીની મૂર્તિ લેવા યુવક ગયો હતો ત્યારે પહેલા છાતીમાં દુખાવો થયો હતો. પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતુ. ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતુ. હાર્ટ એટેકને લઈ હાલ નવરાત્રીમાં વચ્ચે ચિંતા વધતા ગરબા સ્થળે ખાસ આરોગ્યની સુવિધા તૈનાત કરાઈ છે.
જીવનદાન આપતા ઇન્જેક્શન અને દવાઓના જથ્થાની ખાસ વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના સમયને લઈ પાવાગઢમાં ભક્તોને ઇમર્જન્સી સ્થિતિમાં સારવાર આપવા ઇમર્જન્સી હેલ્થ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હેલ્થ સેવામાં કોન્સટ્રેટર, ECG સહિતના સાધનો અને ઇમર્જન્સી સમયે જીવનદાન આપતા ઇન્જેક્શન અને દવાઓના જથ્થાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સેવા એક વ્યક્તિના જીવ બચાવવામાં નિમિત્ત બની છે.