- ખેલૈયાઓએ ટૂંકા કે બીભીત્સ ડ્રેસને બદલે પરંપરાગત કપડા પહેરવા
- વિધર્મીઓને મંડપ,ફરાસખાનું,સાઉન્ડનું કામ ન સોંપવું
- ગરબા આયોજકો સહકાર નહીં આપે તો તેઓ જવાબદાર ગણાશે
નવરાત્રી માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે તેના માટે આયોજકો અને ખેલૈયાઓને સૂચના આપવામાં આવી રહી છે. આ તરફ વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સલાહ આપી છે. જેમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે તેવી વાત કરી છે.
રાજ્યના વિવિધ ભાગોમાં હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મીઓને પ્રવેશ ન મળે તેવી રજુઆતો કરી છે. જેમાં વડોદરામાં હિન્દુ સંગઠનો દ્વારા આયોજકો અને ખેલૈયાઓને કહેવામાં આવ્યું છે કે, રબામાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે, તેમજ ગૌ મૂત્રથી બનેલા તિલક કરી ખેલૈયાઓને પ્રવેશ અપાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
આ ઉપરાંત વડોદરામાં જ્યારે વડોદરામાં ગરબા આયોજનમાં વિવાદ બાદ કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો છે, જેમાંઆયોજકોએ વિધર્મી કોન્ટ્રાકટરોને કામ આપતા વિવાદ થયા હતો અને વિવાદ વકરતા અને જયોતિર્નાથ મહારાજે વિરોધ કરતા એજન્સી હટાવી દેવામાં આવી છે. LVP ના ગરબામાં બોયઝોન ઈવેન્ટ મેનપાવર સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ હવે વિધર્મીઓને મંડપ,ફરાસખાનું,સાઉન્ડનું કામ ન સોંપવા માટે જણાવ્યું છે.
ગરબા આયોજકો અને ખેલૈયાઓને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સલાહ આપી છે કે, ખેલૈયાઓએ ટૂંકા કે બીભીત્સ ડ્રેસને બદલે પરંપરાગત કપડા પહેરવા જોઇએ અને તેની પર બજરંગ દળ અને VHPના સ્વયં સેવકો નજર રાખશે. જેના માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
આ સાથે જ કોઈ વિધર્મી ગરબા રમતા કે વિડીયો ઉતારતા દેખાશે તો રોકવામાં આવશે. તેમજ ગરબા આયોજકો સહકાર નહીં આપે તો તેઓ જવાબદાર ગણાશે. આ માટે તમામ તકેદારી રાખવાની રહેશે તેવું પણ આયોજક અને ખેલૈયાઓે સલાહ આપવામાં આવી છે.