- ભારતની ચાટર્ડ ફ્લાઈટ 200થી વધુ ભારતીયોને લાવશે
- તેલ અવીવમાંથી ભારત આવવાને લઇ યુવાનો ખૂશખૂશાલ
- પ્રથમ ટ્રિપ બાદ બીજી ટ્રિપનો સમય નક્કી કરાશે
‘ઓપરેશન અજય’ હેઠળ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોની પરત આવવાની શરૂઆત થઈ ગઈ છે. તેલ અવીવથી ભારત પરત ફરતા લોકોની પ્રથમ બેચ પર, ઇઝરાયેલમાં ભારતીય રાજદૂત સંજીવ સિંગલાએ કહ્યું – તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત કામ કરી રહ્યું છે.
તેલ અવીવમાંથી ભારત આવવાને લઇ યુવાઓ ખૂશખૂશાલ
વિદેશ મંત્રીએ ભારત પાછા ફરવા ઈચ્છતા ભારતીયોને મદદ કરવા ઓપરેશન અજયની જાહેરાત કરી હતી. આજે ‘ઓપરેશન અજય’ અંતર્ગત પ્રથમ ફ્લાઈટ ભારત પરત જઈ રહી છે. જેમાં લગભગ 200થી વધુ ભારતીય નાગરિકો વતન આવી રહ્યા છે. ભારત આવી રહેલા યુવાનોમાં ખૂશી જોવા મળી રહી છે. ભારતે પોતાના નાગરિકોને ઈઝરાયેલથી ભારતમાં સુરક્ષિત લાવવા માટે ઑપરેશન અજય શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પ્રથમ ચાર્ટર ફ્લાઈટ ગુરૂવારે સાંજે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ શહેરમાં પહોંચ્યું હતું.
‘ઓપરેશન અજય’ હેઠળ તેલ અવીવથી ભારત પરત ફરી રહેલા અશ્વિની કુમાર શર્માએ કહ્યું- ભારતીય મુસાફરોની પ્રથમ બેચ તેલ અવીવથી ભારત પરત ફરશે. “મારી દીકરી ઈઝરાયેલથી પીએચડી કરી રહી છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે અમારી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. “પછી અમને ‘ઓપરેશન અજય’ વિશે ખબર પડી અને અમે ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો.”
પ્રથમ ટ્રિપ બાદ બીજી ટ્રિપનો સમય નક્કી કરાશે
પહેલી ટ્રિપમાં કુલ 230 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ આ અંગેની વિગતવાર જાણકારી આપી હતી. તારીખ 11 ઑક્ટોબરના રોજ ઑપરેશન અજયનું એલાન કરવામાં આવ્યું હતું. વિદેશમંત્રી જયશંકરે સમગ્ર પ્લાન અંગે છણાવટ કરી હતી. તેલ અવીવ શહેર સુધી ફ્લાઈટ પહોંચ્યા બાદ પણ ઈઝરાયેલની સ્થિતિ પર સતત વૉચ રાખવામાં આવશે.
તારીખ 13 ઑક્ટોબરના રોજ આ ફ્લાઈટ ભારતીયોને લઈને પરત આવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં અમે ઈઝરાયેલના તમામ પગલાં પર નજર રાખી રહ્યા છીએ. ત્યાં જે ભારતીયો છે એને કોઈ જ પ્રકારની ઈજા થઈ નથી. અત્યારે ત્યાં 18000 જેટલા ભારતીયો છે. ઘણા વિસ્તારોમાં ઘર્ષણ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આ એક મોટો પડકાર છે. ભારતીયોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ આ મિશન સંબંધી કેટલીક ગાઈડલાઈન્સને ફોલો કરે.