પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં આતંકી ગુરુ મૌલાના અઝહરના પરિવારના લગભગ 21 સભ્યો માર્યા ગયા હતા. જેમાં આતંકીના ભાઈ, જીજા, સાળા અને પરિવારના અન્ય સદસ્યો પણ હતા. હવે પાકિસ્તાનના બહાવલપુર એરિયામાં મરકજ સુબ્હાન અલ્લાહના નજીકના કબ્રસ્તાનનો ફોટો સામે આવ્યો છે. આ ફોટાઓને ખુદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સોસિયલ મિડીયા પર અપલોડ કર્યા છે.
ફેસબુક પર ફોટો શેર કર્યા
આતંકી સંગઠને આ ફોટોને ફેસબુક પર શેર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ કબરો આતંકી મસૂદ અઝહરના પરિવારના લોકોની છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી આતંકી મસૂદ અઝહરના લગભગ 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. ભારતે જવાબી હુમલામાં તેના 100 થી વધારે આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતે આતંકવાદીઓને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. શું ભારતના સૌથી મોટા દુશ્મનો હાફિઝ સઈદ અને મસૂદ અઝહર પણ આ હુમલામાં માર્યા ગયા છે ? ભારતે બહાવલપુરમાં મસૂદ અઝહરના મુખ્યાલયને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં તેનું મુખ્યાલય અને મદરેસા નાશ પામ્યા છે. પાકિસ્તાની મીડિયાએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. આ હુમલામાં 50 જૈશ આતંકવાદીઓ માર્યા ગયા હતા.