બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડાવ્યા બાદ વચગાળાની સરકારના સલાહકાર પ્રો. મહમદ યૂનુસે એપ્રિલ 2026 માં ચૂંટણી જાહેર કરી છે. જોકે આ જાહેરાત બાદ રાજકીય ડખો વકર્યો છે અને આંદોલનની ભીતિ ઊભી થઈ છે. વચગાળાની સરકારના નિર્ણયને પગલે માજી વડાપ્રધાન શેખ હસીના નારાજ થયા છે. બીજીબાજુ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત એ ઇસ્લામી પણ ડિસેમ્બરમાં ચૂંટણી ઈચ્છે છે.
વિપક્ષમાં વિરોધ : સુધારાને જલ્દી અવકાશ નહીં
એપ્રિલ 2026 માં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી જાહેર થતાં વિપક્ષમાં વિરોધ ઊભો થયો છે. નિર્ધારિત ચૂંટણીના સમયને ખારીજ કરી દેવાયો છે. જેથી અનિશ્ચિતતા સામે આવીને ઊભી છે. બાંગ્લાદેશના નિષ્ણાત પાર્થ મુખોપાધ્યાયે વ્યક્ત કરેલી વાત મુજબ વચગાળાની સત્તા સંભાળતી વખતે યૂનુસે ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાની વાત કરી હતી. પણ, સુધારો એ કોઈ જાદુઇ બટન નથી. વિરોધ પક્ષો ડિસેમ્બર 2025માં ચૂંટણી ઇચ્છી રહ્યા છે.
શેખ હસીનાએ ઓડિયો સંદેશ જાહેર કર્યો
માજી વડાપ્રધાન શેખ હસીનાએ જાહેર કરેલા ઓડિયો સંદેશમાં મોહમ્મદ યૂનુસે તેમના શાસનમાં આતંકવાદીઓને સંરક્ષણ આપવામાં આવ્યું હોવાનું કહ્યું છે. એમણે એમ પણ દાવો કર્યો છે કે યૂનુસ ચૂંટણી નથી કરાવવા ઇચ્છતા પણ આ સરકાર બાંગ્લાદેશને વિનાશ તરફ લઈ જઈ રહી છે.
કાયદો વ્યવસ્થા કથળતી હોવાના દાવા
યૂનુસ સરકારમાં બાંગ્લાદેશની કાયદો વ્યવસ્થા સતત બગડી રહી છે તેવો દાવો વિપક્ષ દ્વારા કરાયો છે. તેના ઉપર એવો આરોપ છે કે હાલમાં જ યૂનુસે ચીન અને જાપાનની મુલાકાત લીધી હતી અને હવે યુકેની મુલાકાત લેવાના છે. અમેરિકાને પણ પોતાના પક્ષમાં કરવાની પેરવીમાં છે.