By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ભારતનું અનોખું ફિલ્મી જગત
    ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ભારતનું અનોખું ફિલ્મી જગત
    1 week ago
    જન્માષ્ટમીએ આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને સંતતિ મળશે
    જન્માષ્ટમીએ આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને સંતતિ મળશે
    1 week ago
    હરિ તારાં નામ છે હજાર અને તારી લીલા તો વળી અપરંપાર
    હરિ તારાં નામ છે હજાર અને તારી લીલા તો વળી અપરંપાર
    1 week ago
    કૃષ્ણભક્તિમાં નખશિખ તરબોળ થયેલા વ્હાલા કૃષ્ણભક્તો
    કૃષ્ણભક્તિમાં નખશિખ તરબોળ થયેલા વ્હાલા કૃષ્ણભક્તો
    1 week ago
    દેશના દરેક ખૂણામાં ભવ્ય રીતે ઉજવાય છે કૃષ્ણપર્વ જન્માષ્ટમી
    દેશના દરેક ખૂણામાં ભવ્ય રીતે ઉજવાય છે કૃષ્ણપર્વ જન્માષ્ટમી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં આપણાં પૌરાણિક શ્રીકૃષ્ણ મંદિરો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભારતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં આપણાં પૌરાણિક શ્રીકૃષ્ણ મંદિરો

AgraGujarat Rajkot
Last updated: 2025/08/14 at 4:04 AM
1 week ago
Share
ભારતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં આપણાં પૌરાણિક શ્રીકૃષ્ણ મંદિરો
SHARE

ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક એવાં પૌરાણિક મંદિર છે, જે શ્રીકૃષ્ણના જીવન, તેમની લીલાઓ અને ભક્તિ સાથે જોડાયેલ છે. તેમને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને શ્યામ, ગોપાલ, કેશવ અને વાસુદેવ જેવાં હજારો નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક મંદિરો આવેલાં છે. તેમની પોતાની આગવી ધાર્મિક વિશેષતા છે. ગુજરાતમાં આવેલા પ્રખ્યાત શ્રીકૃષ્ણ મંદિરની વાત કરીએ તો એમાં દ્વારાકાધીશ, ડાકોરનું રણછોડરાય મંદિર, અરવલ્લીમાં આવેલ શામળાજી મંદિર, સોમનાથમાં ભાલકા તીર્થ વગેરેનો સમાવેશ થાય છે. આ મંદિરો માત્ર ધાર્મિક સ્થાનો નથી, પણ ભારતની ધાર્મિક સંસ્કૃતિ, ઈતિહાસ અને કળાનો જીવંત પરિચય છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક પ્રસિદ્ધ મંદિર છે. આ તમામ મંદિરનું અલગ મહત્ત્વ અને વિશેષતા છે, જે વિશે જાણીએ.

દ્વારકાધીશ મંદિર-મથુરા

 મથુરામાં આવેલું સૌથી પ્રખ્યાત કૃષ્ણમંદિરનું સ્થાપત્ય જોવાલાયક છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણની કાળા રંગની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ મંદિર યમુના નદીના કિનારે જેલની કોટડીની અંદર આવેલું છે, જ્યાં એક સમયે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે આ મંદિરના ઓરડામાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા. આ મંદિરને દ્વારકાધીશ મંદિર પણ કહેવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો આ દિવ્ય મંદિરને જોવા માટે મથુરા આવે છે.

 શ્રી બાંકે બિહારી મંદિર – વૃંદાવન

 ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ વૃંદાવનમાં પસાર થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણને બાંકે બિહારી પણ કહેવામાં આવે છે, તેથી તેમના નામ પરથી આ મંદિરનું નામ શ્રી બાંકે બિહારી રાખવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણએ બાળપણમાં વૃંદાવનમાં તમામ ટીખળો અને રાસલીલા કરી હતી. વૃંદાવનમાં ઇસ્કોન મંદિર, પ્રેમમંદિર અને બાંકે બિહારી મંદિર પણ જોવાલાયક છે. જન્માષ્ટમીના અવસર પર કાન્હાના ભક્તોની ભારે ભીડ આ મંદિરોમાં

ઊમટી પડે છે.

જગન્નાથ પુરી – ઓરિસ્સા

 ઓરિસ્સાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. રથયાત્રા દરમિયાન જન્માષ્ટમી કરતાં અહીં વધુ ઉત્સાહ જોવા મળે છે. આ રથયાત્રા ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રથયાત્રામાં ભાગ લેવા અને જગન્નાથજીના રથને ખેંચવા માટે વિશ્વભરમાંથી લાખો ભક્તો આવે છે.

દ્વારકાધીશ મંદિર – ગુજરાત

દ્વારકાધીશ મંદિરને ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ કૃષ્ણમંદિર માનવામાં આવે છે. આ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું દ્વારકાધીશ મંદિર ભારતનાં ચાર ધામોમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. મંદિરના શિખર ઉપર ફરકતી 52 ગજ લાંબી ધજ આજે પણ ભક્તોને આશ્વાસન આપે છે. સમુદ્રના તટે વસેલું આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું મનાય છે.

ઉડુપી શ્રીકૃષ્ણ મઠ મંદિર – કર્ણાટક

શ્રીકૃષ્ણ મઠ મંદિર ભગવાન કૃષ્ણનાં પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિરની સ્થાપના 13મી સદીમાં વૈષ્ણવ સંત શ્રી માધવાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની બારીના નવાં છિદ્રોમાંથી ભક્તો ભગવાન કૃષ્ણનાં દર્શન કરે છે. આ બારીને ચમત્કારિક બારી માનવામાં આવે છે. દર વર્ષે અહીં ભક્તોનો ઘસારો રહે છે. ભક્તોને દર્શન માટે ત્રણથી ચાર કલાક રાહ જોવી પડે છે.

વિઠોબા મંદિર – મહારાષ્ટ્ર

પંઢરપુરનું વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે શોલાપુરમાં આવેલું છે. આ મંદિરમાં વિઠોબાના રૂપમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.

જુગલકિશોર મંદિર

મથુરા વૃંદાવનમાં આવેલું જુગલકિશોર મંદિર ઘણું પૌરાણિક મંદિર છે. રેતીના લાલ પથ્થરથી સમગ્ર બાંધકામ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ દિવ્ય લાગે છે. આ મંદિરનું બીજું નામ કેશીઘાટ મંદિર છે. ભક્તો માટે આ બહુ પ્રખ્યાત મંદિર છે.

નાથદ્વારા – રાજસ્થાન

વૈષ્ણવોના યાત્રાધામ તરીકે પ્રખ્યાત નાથદ્વારા મંદિર રાજસ્થાનમાં ઉદેપુરમાં આવેલું છે. નાથદ્વારામાં ભગવાન કૃષ્ણની શ્રીનાથજી તરીકે પૂજા થાય છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મોટું તીર્થ છે. નાથદ્વારાનું એક અલગ જ માહાત્મ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણનાં મંદિરો ફક્ત દેશમાં જ છે એવું નથી, વિદેશમાં પણ તેઓ પૂજાય છે. નેપાળ, બેલ્જિયમ, યુકે, ન્યૂયોર્ક, લંડન, સિડની, દક્ષિણ આફ્રિકા, રશિયા અને દુબઇ જેવા દેશોમાં પણ ભગવાન કૃષ્ણનાં મંદિરો આવેલાં છે. – દેવલ થોરિયા

એ વાત જગતમાં જાહેર છે…

ગોકુળમાં ગાયો ચારી હતી એ વાત જગતમાં જાહેર છે.

 મનમોહન તારું નામ હતું, એ વાત જગતમાં જાહેર છે.

 મથુરાની જેલમાં જન્મ્યા હતા, ગોકુળની ગલીઓમાં ઉછર્યા હતા.

 મટકીનાં માખણ ચોર્યાં હતાં, તે વાત જગતમાં જાહેર છે.

 મામા-માસીને માર્યાં તમે, કાલીય નાગને નાથ્યો તમે,

 કુબજાનું ચંદન લીધું તમે, એ વાત જગતમાં જાહેર છે.

 વનરાવન રાસ રચાવ્યો તમે, ગોપીએ હૈયે વસાવ્યો તને,

 બંસીનો નાદ સુણાવ્યો તમે, એ વાત જગતમાં જાહેર છે.

 કદંબની ડાળે છુપાયા તમે, ગોપીનાં વસ્ત્રો ઉપાડ્યાં તમે,

 માટીનું ઢેફું ખાધું તમે, એ વાત જગતમાં જાહેર છે.

સુદર્શન ચક્ર

આ કૃષ્ણનું દિવ્ય શસ્ત્ર છે. ભગવાન કૃષ્ણને ચક્રધારી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદર્શન ચક્ર સમય, મન અને બ્રહ્માંડનું પ્રતીક છે. સુદર્શન ચક્ર અન્યાય અને દુષ્ટતા નાશ કરવાનું કામ કરે છે. સુદર્શન ચક્ર ધર્મની રક્ષા અને દુષ્ટોનો સંહાર કરવાની શક્તિ ધરાવે છે. સુદર્શન ચક્રનો મહિમા અપરંપાર છે.

You Might Also Like

ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ભારતનું અનોખું ફિલ્મી જગત

જન્માષ્ટમીએ આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને સંતતિ મળશે

હરિ તારાં નામ છે હજાર અને તારી લીલા તો વળી અપરંપાર

કૃષ્ણભક્તિમાં નખશિખ તરબોળ થયેલા વ્હાલા કૃષ્ણભક્તો

દેશના દરેક ખૂણામાં ભવ્ય રીતે ઉજવાય છે કૃષ્ણપર્વ જન્માષ્ટમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : પ્રોટીનનો શ્રેષ્ઠ વિકલ્પ કયો ? પનીર, સોયા કે પછી ટોફુ જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
હેલ્થ

Health Tips : પ્રોટીનનો શ્રેષ્ઠ વિકલ્પ કયો ? પનીર, સોયા કે પછી ટોફુ જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

By 5 days ago
Health Tips : વરસાદમાં બીમારીનો પ્રકોપ, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારશે આ સુપરફૂડ
ગરમ મસાલો ખાવાથી એસિડિટી થાય છે? 90 ટકા લોકો કરે છે આ ભૂલ, જાણો એક્સપર્ટનું શું માનવું છે
Vice President Election : કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? ભાજપના સંભવિત ઉમેદવારોની રેસમાં આ નામ છે સૌથી આગળ
Lifestyle : બજારમાં મળતું પનીર અસલી છે કે નકલી ? શું ઘરે કરી શકાય ચકાસણી, જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?