By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    34 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ભારે વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો : ડેંગ્યુનો ફૂંફાડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ભારે વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો : ડેંગ્યુનો ફૂંફાડો

agragujaratnews
Last updated: 2024/09/05 at 8:34 PM
9 months ago
Share
ભારે વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો : ડેંગ્યુનો ફૂંફાડો
SHARE

શહેરના ત્રણેય ઝોનમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા : મનપાના ચોપડે માત્ર ૨૨ કેસ, નોંધાયા વગરના ૧૦૦થી વધુ હોવાની શંકા

રાજકોટ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળાએ દેખા દીધી છે. શહેરના ત્રણેય ઝોનમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. તેમાં પણ જીવલેણ ડેંગ્યુએ ફૂંફાડો માર્યો હોય તેવા રિપોર્ટ સામે આવી રહ્યાં છે. મનપાના ચોપડે માત્ર ૨૨ કેસ નોંધાયા છે. જયારે સિવિલ હોસ્પિટલના ચોપડે ૪૦ જેટલા કેસ બતાવ્યા છે. ઓફ ધ રેકર્ડ ૧૦૦થી પણ વધુ ડેંગ્યુના કેસ હોવાનું સામે આવ્યું છે. આ મામલે તંત્રએ ત્વરીત જાગી ઠેર-ઠેર ભરાયેલા પાણીનો ત્વરીત નિકાલ કરવો જોઇએ અને દવાનો છંટકાવ કરવાની તાતી જરૂર ઉભી થઇ છે.

રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાયા હોવાનું રાજકોટ મહાનગરપાલિકા જણાવે છે. એક સપ્તાહમાં માત્ર 22 કેસ હોય એટલે રોગચાળો કાબૂમાં છે તે દેખાય પણ હકીકત એ છે કે, શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે. મોટી હોસ્પિટલથી માંડી શેરી ગલીના નાના ક્લિનિકમાં પણ દર્દીઓની ભીડ હોય છે. જોકે આરોગ્ય વિભાગને આ સત્ય હકીકત કરતા સ્થિતિ કાબૂમાં દર્શાવતા ચોપડાઓમાં જ રસ છે. માત્ર મનપાના જ આંકડા જોઈએ તો રોજ 100થી વધુ દર્દીના ઘરે ડેન્ગ્યુને અટકાવવાની કામગીરી કરે છે. સિવિલ હોસ્પિટલમાં 40 કેસ નોંધાઈ ગયા છે. આના કરતા અનેકગણા કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે.

મનપાના ડેન્ગ્યુના 22 કેસમાં કામગીરી કરે છે પણ શહેરના તબીબો મારફત રેપિડ કાર્ડ પોઝિટિવ કેસ હોય તેની પણ માહિતી અપાય છે. કાર્ડ ટેસ્ટને મનપા ડેન્ગ્યુમાં ગણતી નથી પણ ત્યાં દોડી જઈને પ્રોટોકોલ મુજબ કામગીરી કરાય છે. આવા સપ્તાહમાં 100થી વધુ કેસમાં કામગીરી થઈ રહી છે.

પાંચ વર્ષ પહેલાં ગુજરાતભરમાં ડેન્ગ્યુના કેસમાં ઉછાળો આવ્યો હતો. જેને લઈને સમગ્ર દેશમાં મામલો ઉછળ્યો હતો. ડેન્ગ્યુના ટેસ્ટ માટે વર્ષોથી રેપિડ કાર્ડ ટેસ્ટ ઉપયોગમાં લેવાય છે જેની કિંમત 300થી 600 રૂપિયા હોય છે. આ ટેસ્ટ બધાને પોષાતા હોય છે એટલે ડોક્ટર પાસે દર્દી આવે એટલે ટેસ્ટ કરાવાય છે. આ વાતની ખબર તત્કાલીન આરોગ્ય કમિશનરને ખબર પડી હતી. જેથી તેઓએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે, જે દર્દીઓના પીસીઆર ટેસ્ટ કરાવ્યા હોય અને તેમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોય તેની જ નોંધ કરવી.

રાજકોટ શહેરમાં અત્યારે મચ્છરજન્ય રોગચાળો ખૂબ વકર્યો છે. તંત્ર પીસીઆર જ કન્ફર્મ ગણે છે એટલે રોગચાળાના આંકડાઓ ખૂબ જ ઓછા હોય છે જ્યારે હકીકતે તેના કરતા 100 ગણા કેસ રાજકોટમાં છે. જે પીસીઆર ટેસ્ટ છે તે 2500નો થાય છે પણ તેનાથી સવિશેષ કોઇ ફાયદો હોતો નથી તેના કરતા રેપિડ કાર્ડ ટેસ્ટ ઝડપી રિઝલ્ટ આપે છે. આમ છતાં ડેન્ગ્યુની કોઇ દવા નથી. સામાન્ય રિપોર્ટમાં લક્ષણો દેખાય જેવા કે આંખો દુ:ખે, તાવ આવે, શરીરમાં કળતર થાય એટલે તે લક્ષણોની સારવાર કરવામાં આવે છે. આવા રોજના 700થી 750 કેસ શહેરમાં આવી રહ્યા છે. તબીબો અને આરોગ્ય વિભાગનું એક વોટ્સએપ ગ્રૂપ હોય છે તેમાં અમે કેસની વિગત મૂકીએ એટલે તુરંત જ ત્યાં સર્વેલન્સ થઈ જાય છે. વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારી ત્યાં કામ કરવા પહોંચી જ ગયા હોય છે એટલે તે બાબત સારી છે. જોકે આંકડાઓ સતત ઓછા બતાવાતા હોવાથી લોકોમાં જાગૃતિ આવતી નથી. આ કારણે પણ યોગ્ય જાળવણી ન કરવામાં આવે તે પણ રોગચાળો વધવાનું એક કારણ છે.’

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
સ્પોર્ટ્સ

Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?

By 14 hours ago
Shikhar Dhawanની લવ સ્ટોરી કેવી રીતે થઈ શરૂ? ક્રિકેટરે કર્યો ખુલાસો
જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?