Pakistani Airspace: પહલગામના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે હવે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ પાકિસ્તાની એરસ્પેસમાંથી ઉડાન ભરવાનું ટાળી રહ્યા છે.
પહલગામ, જમ્મુ-કાશ્મીરમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. તે દરમિયાન, લુફ્થાંસા અને એર ફ્રાંન્સ જેવી ઘણી મોટી આંતરાષ્ટ્રીય એરલાઈન્સે પાકિસ્તાની એરસ્પેસ ટાળીને અન્ય રૂટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. સોમવારે જાહેર કરવામાં આવેલ ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા પરથી આ વાત સામે આવી છે.
પહલગામમાં થયેલા હુમલા બાદ લેવામાં આવશે એક્શન
પહલગામ હુમલા બાદ ભારત એ પાકિસ્તાનની ટીકા કરી હતી. પાકિસ્તાને પણ ભારતીય એરલાયન્સના વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરીને બદલો લીધો, પરંતુ બીજા આંતરાષ્ટ્રીય એરલાઈન્સ પર કોઈ નિયંત્રણો લીધાં નથી.
અહીં, લુફ્થાંસા ગ્રુપે સમાચાર એજન્સીના રોઈટર્સને પુષ્ટિ આપી કે એશિયન દેશોમાં મુસાફરીના લાંબા સમયના કારણે, તેની ફ્લાઈટસ્ અનિયમિત સમય માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરશે નહીં.
પાકિસ્તાન ઓવરફ્લાઈટના કારણે આવક ગુમાવે છે
મીડિયા રિપોર્ટ મુજબ નવા રૂટનું કારણ રવિવારે લુફ્થાંસાની ફ્રેંન્કફર્ટ-ટૂ-દિલ્લી ફ્લાઈટને તેની મુસાફરી પૂર્ણ કરવામાં એક વધારાનો કલાક લાગ્યો. તેનાથી ફક્ત મુસાફરીમાં વધુ સમય લાગશે એટલું નહીં, ઈંધણનો વપરાશ પણ વધશે, જેની સીધી અસર એરલાઈન્સ કંપનીઓમાં થશે. આ ફેરફારથી પાકિસ્તાનની ઓવરફ્લાઈટ રેવન્યૂને પણ નુકસાન થશે.
પાકિસ્તાની એરલાયન્સને બાયપાસ કરવામાં આવી રહી છે
આ સિવાય ફ્લાઈટ ટ્રૈકિંગ સિસ્ટમથી જાણવા મળ્યું છે કે બ્રિટિશ એરવેઝ, સ્વિસ આંતરાષ્ટ્રીય એરલાઈન્સ અને એમિરેટ્સની ફ્લાઈટ્સ દિલ્હી થઈ ને તેમના રૂટ ડાયવર્ટ કરી રહી છે. અરબી સમુદ્ર પાર કર્યા બાદ તેઓ પાકિસ્તાની એરસ્પેસ ટાળી રહ્યા છે અને મુસાફરી માટે મોટે ભાગે ઉતરી માર્ગ પસંદ કરી રહ્યા છે. બ્રિટિશ એરવેઝ અને એમિરેટે હજુ સુધી આ બાબતે જાહેરમાં ટિપ્પણી કરી નથી. જો કે, એર ફ્રાન્સે પ્રાદેશિક અસ્થિરતામાં વધારો દર્શાવીને પાકિસ્તાની એરસ્પેસ પરથી તેની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના આ હુમલા બાદ ભારતને ચારેબાજૂના દેશ તરફથી સમર્થન મળી રહ્યું છે, અને પાકિસ્તાનની ટીકા થઈ રહી છે, છતાંય પાકિસ્તાન એક પર એક નાપાક હરકતો કરી રહ્યું છે.


