ડૂરંડ લાઇન પર બન્ને દેશોએ હથિયાર તૈનાત કર્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં સેનાએ ઓપરેશન ચલાવીને ટીટીપીના 22 આતંકીઓને ઠાર કર્યા છે.
તણાવના કારણે વણસી સ્થિતિ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અને હવે તે ખતરનાક સ્તરે પહોંચ્યો છે. બન્ને દેશોની સેનાઓએ ડ્યૂરંડ લાઇન પર ભારે હથિયાર તૈનાત કર્યા છે. અને પરિસ્થિતિ સમયની સાથે યુદ્ધમાં પણ પરિણમે છે. આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનના ડિપ્ટી પીએમ મુલ્લા અબ્દુલ ગની બરાદરે કડક સંદેશો આપતા દુશ્મન દેશોને અફઘાન જમીન પર ખરાબ નજર નાંખવાની હિંમત ન કરવી જોઇએ. પાકિસ્તાનનું નામ લીધુ વિના તેઓએ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, અફઘાનની પ્રજા કોઇપણ કિંમતે ઘૂસણખોરી સહન કરશે નહી.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન કોઇ મોટા પગલા લેશે ?
પાકિસ્તાની ડ્રોન સતત અફઘાની વિસ્તારોમાં ફરી રહ્યા છે. ચમન સ્પિન બોલદક, અંગૂર અડ્ડા, કુર્રમ નંગરહાર અને તોરખમ જેવા વિસ્તારોમાં ડ્રોનની ગતિવિધીઓ તેજ બની છે. ગુપ્તચર એજન્સીઓની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, બન્ને દેશ કોઇ માટો યોજના પર કામ કરી રહ્યુ છે. અને અહીંની સ્થિતિ અસ્થિર છે. નાની-મોટી ફાયરિંગની ઘટના વધી છે. જેના કારણે આસપાસનો માહોલ વધુ ગંભીર બની રહ્યો છે.
22 આતંકીઓને ઉતારાયા મોતને ઘાટ
પાકિસ્તાનની અંદર પણ હિંસા નથી રોકાઇ રહી. પેશાવરમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ટીટીપીના 22 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સેનાએ જણાવ્યુ છે કે, આતંકીઓને સટીક નિશાન પર લેવામાં આવ્યા હતા. અને બાદમાં આતંકીઓને ઠાર કરાયા હતા. આ વિસ્તારોમાં હજુ પણ ઓપરેશન યથાવત્ છે. સરહદ પર તણાવ, આતંકી હુમલાઓ અને બન્ને દેશની સેનાઓ મળીને સંદેશો આપી રહી છે કે, આવનાર દિવસોમાં આ વિસ્તારમાં નવા મોટા સંઘર્ષો જોવા મળશે.
આ પણ વાંચોઃ Hong Kong Fire News: ‘અગ્નિકાંડ’માં 279 લોકો થયા ગુમ, ભારે જહેમતથી બે દિવસ બાદ આગ પર મેળવાયો કાબૂ


