આતંકવાદના મુદ્દે વૈશ્વિક મંંચ પર બદનામ થયેલું પાકિસ્તાન હવે પોતાના સમર્થન માટે દુનિયાના દેશો પાસે ભીખારીની જેમ મદદ માંગી રહ્યું છે. ઈસ્લામાબાદમાં અમેરિકી દૂતવાસમાં આયોજીત એક સમારોહમાં શાહબાઝ શરીફ પહોંચ્યા હતા અને દિલ ખોલીને ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા. તેમણે એક તરફ ભારત-પાકિસ્તાન તણાવ ઓછો કરવા માટે ટ્રમ્પના યોગદાનને ફરી દોહરાવ્યુ અને ભારત સાથે ફરી સબંધો સુધારવા માટે વોંશિગ્ટન પાસે મદદ માંગી
ટ્રમ્પના વખાણ કરીને ભારત સાથે વાતચીત કરવા માટે કરી અપીલ
અમેરિકાના 249મા સ્વતંત્રતાના જન્મદિવસના અવસર પર આયોજીત આ કાર્યક્રમમાં શાહબાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિના વખાણ કરતા જણાવ્યું હતું કે તેમણે યુદ્ધવિરામ કરવામાં મહત્વની ભુમિકા ભજવી છે. શરીફે ટ્રમ્પને શાંતિ અને લાભના સમર્થક ગણાવીને તેમની ક્ષમતાઓને લઈને તેમના ભરુપુર વખાણ કર્યા. આ સાથે તેમણે ભારત સાથેની વાતચીતમાં તેમના યોગદાન માટે પણ અપીલ કરી. શાહબાઝે કહ્યું કે જો અમેરિકા બંને પરમાણુ શક્તિની વચ્ચે યુદ્ધ બંધ રાખવા માટે મદદ કરી શકતા હોય તો વ્યપાર માટે પણ તેમની ભૂમિકા મહત્વ ધરાવે છે.
પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયુ
આતંકવાદને લઈને આંતરાષ્ટ્રીય કક્ષાએ મુશ્કેલીમાં મુકાયેલુ પાકિસ્તાન હવે ભારત સાથે તણાવ ઓછો કરવા અને વાતચીતનો રસ્તો ખોલવા માટે અધીરુ બની રહ્યું છે. શાહબાઝ શરીફની ટ્રમ્પ પાસે મદદ માંગવી એ વાતનો સંકેત છે કે પાકિસ્તાન પોતાની નીતિઓને મજબૂત કરવા માટે અમેરિકા તરફ જોઈ રહ્યું છે. ભારતે હંમેશા કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ અને POK પર જ થશે