પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાન પર જે પહેલું બ્રહ્માસ્ત્ર ચલાવવામાં આવ્યું હતું તેની અસર દેખાવા લાગી છે. પાડોશી દેશમાં પાણીની અછતને સ્પષ્ટ જોઈ શકાય છે. દુકાળનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પંજાબની સ્થિતિ આવનારા સમયમાં ખુબ વધારે ગંભીર થઈ શકે છે. ભારત તરફથી પશ્ચિમી નદીઓ પર નિયંત્રણ વધારવાના પગલાની અસર પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટના પુરમાં ઉભરી રહી છે. આ અઠવાડિયે પાકિસ્તાનના સિંધુ વિસ્તારમાં છોડવામાં આવેલા પ્રવાહમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં ખુબ ઓછુ છે.
5 જૂને પાકિસ્તાનના પંજાબમાં પાણીનો પ્રવાહ ઓછો થઈને 1.24 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયો હતો. જે ગયા વર્ષે આ તારીખમાં 1.44 લાખ ક્યૂસેક હતું. તરબેલા ડેમમાં જળસ્તર 1465 મીટર સુધી પહોંચી ગયું છે. જો કે તેનું ડેડ લેવલ 1402 મીટર છે. ચશ્મા ડેમમાં જળસ્તર 644 મીટર છે. જે ડેડ લેવલ 638 મીટરથી ઉપર ચે. મંગલા ડેમનું જળસ્તર 1163 મીટર સુધી પહોંચી ગયું છે, જે ડેડ લેવલ 1050થી થોડુ ઉપર છે. જણાવી દઈએ કે ડેડ લેવલ જળસ્તરની એ સીમા છે જેના પછી પાણીને ડેમામાંથી છોડી શકાતુ નથી.
પાકિસ્તાની અધિકારીઓના કહ્યા અનુસાર, આ વિધ્ન સિઝનની શરૂઆતમાં જ 21 ટકા પાણીના ઘટાડાને દર્શાવે છે. મારાલામાં 5 જૂનના રોજ ચિનાબ નદીના ઔસત પાણીનો પ્રવાહ ફક્ત 3064 ક્યૂસેક રહી ગયો હતો. જ્યારે 28 મે ના રોજ તે 26,645 ક્યૂસેક હતું. આ એક સુત્રના આધારે જણાવવામાં આવ્યું છે કે સ્થિતિ થોડી ગંભીર છે. ખાસ કરીને ખરીફ પાક માટે જૂનથી સપ્ટેમ્બર સુધી. ચોમાસાના આગમન સાથે રાહત થવાની સંભાવના છે.
પાણીની સમસ્યા વચ્ચે પાકિસ્તાન હજી એક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. 8 જૂનથી પંજાબ, ઈસ્લામાબાદ, ખૈબર પખ્તૂનખ્વા, કાશ્મીર અને ગિલગિત બાલિસ્તાનમાં ગંભીર હીટવેવેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે. તાપમાન સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રી વધારે રહી શકે છે. જેનાથી જળ સંકટ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.