એક તરફ, ભારતમાં સોનમ અને રાજાની કહાની દેશભરમાં ચર્ચાનો માહોલ બની છે. તો તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ‘હનીમૂન કાંડ’નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરંતુ આ બનાવમાં હત્યા નહી પણ આત્મહત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાડોશી દેશમાં નવવિવાહિત દંપત્તિ સાજિદ અને રઝિયાએ ટ્રેન નીચે પડતું મુકી જીવન ટુંકાવ્યુ હતુ. અને આ આત્મહત્યા પાછળનું કારણ પણ અચરજ પમાડે એવું છે.
‘હનીમૂન કાંડ’ બન્યુ ચર્ચાનું કેન્દ્ર
પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં સાજિદ અને રઝિયાના નિકાહ થયા હતા. નવુ જીવન શરુ કરવા માટે તેઓ હનીમૂન પર જવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ આ સમયે જ તેમની સાથે એવી ઘટના બની કે તેઓએ પોતાનું જીવન ટુંકાવી લીધુ. ટ્રેન નીચે પડતું મુકીને રઝિયા અને સાજિદે આત્મહત્યા કરી હતી. 3 મહિના પહેલા તેઓના લગ્ન થયા હતા. સાજિદ પાવરલૂમ ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તેણે હનીમૂન માટે પોતાના મોટા ભાઇ જાહિદ પાસેથી થોડા રૂપિયા ઉધાર માગ્યા હતા. પરંતુ મોટા ભાઇ જાહિદે તેને થોડી રાહ જોવા માટે કહ્યુ કહ્યુ હતુ. પરંતુ કોઇ વાતે તેને માઠું લાગી આવતા સાજિદે પત્ની રઝિયા સાથે ટ્રેન નીચે પડીને આત્મહત્યા કરી હતી. આપઘાત પહેલા તેણે તેના મોટા ભાઇ જાહિદને કોલ પણ કર્યો હતો. અને પછી જીવન ટુંકાવ્યુ હતુ.
પોલીસ તપાસ કરાઇ શરુ
પોલીસે આ સમગ્ર મામલે જણાવ્યુ હતુ કે, કડક તપાસ ચાલી રહી છે. અને અન્ય કારણો કયા હતા તે શોધવા અંગે પ્રયત્ન હાથ ધરાયા છે. આ આપઘાત પાછળ કોઇ સામાજિક કે પારિવારિક કારણ જવાબદાર છે કે નહી તે અંગે પણ તપાસ શરુ કરાઇ છે. પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, રઝિયા તરફથી કોઇ માનસિક તણાવ સામે આવ્યો નથી. ત્યારે આ પરિસ્થિતિમાં કેસની તપાસ વધુ સંવેદનશીલ બની છે.