પાકિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેંમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ભૂકંપ અને બ્રહ્મોસ હુમલાની ચર્ચા થઈ રહી છે. ભૂકંપનું કેન્દ્ર ઝાંગ સદરથી 19 કિમી પૂર્વમાં નોંધવામાં આવ્યુ છે. ઝાંગ સદર પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું એક મહત્વપૂર્ણ શહેર છે અને તે ફૈસલાબાદ વિભાગમાં ચિનાબ નદીના કિનારે આવેલું છે. પરંતુ આ ભૂકંપ ફક્ત ભૌગોલિક ઘટના નથી. તે વ્યૂહાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં થયો છે.
4.2ની તીવ્રતાનો ભૂકંપ
પાકિસ્તાનના ઝાંગ સદરમાં ભારતે આતંકવાદી ઠેકાણા પર કરેલા બ્રહ્મોસ મિસાઇલ હુમલાની નજીક 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા છે. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર બ્રહ્મોસ મિસાઇલની ચર્ચાએ વધુ જોર પકડ્યુ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સાંજે 7:20 કલાકે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2ની માપવામાં હતી અને તેનું કેન્દ્ર ઝાંગ સદરથી 19 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. ઝાંગ સદર પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું એક મહત્વપૂર્ણ શહેર છે અને તે ફૈસલાબાદ વિભાગમાં ચિનાબ નદીના કિનારે આવેલું છે. ઝાંગ સદરથી 100 કિલોમીટર દૂર સ્થિત બહાવલપુર ભારતની કડક દેખરેખ હેઠળ છે. આ વિસ્તારોમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ઠેકાણા હોવાની પુષ્ટિ થઈ હતી અને ભારતે તેને મિસાઇલોથી નષ્ટ કર્યા હતા.
આ વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર
સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ઝાંગ સદર, જ્યાં ભૂકંપનું કેન્દ્ર 19 કિમી દૂર હતું. તે પાકિસ્તાનના એ જ વિસ્તારોમાં આવે છે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિઓના અહેવાલો વારંવાર બહાર આવી રહ્યા છે. જ્યારે બહાવલપુરને જૈશ-એ-મોહમ્મદનો ગઢ માનવામાં આવે છે. ભારતની પ્રતિ-વ્યૂહરચનામાં આ વિસ્તારોને “ઉચ્ચ મૂલ્ય લક્ષ્યો” તરીકે ઓળખવામાં આવ્યા હતા.
શું આ માત્ર એક સંયોગ છે કે કંઈક બીજું?
લોકો પૂછી રહ્યા છે કે પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ કેમ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ભારતની કાર્યવાહીનું પરિણામ છે. શું ભૂગર્ભ ધ્રુજારી ફક્ત કુદરતી છે કે પછી તાજેતરની પ્રવૃત્તિઓનું પરિણામ છે? આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ પાકિસ્તાનમાં ગભરાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર તેને ‘સંદેશ ભૂકંપ’ પણ ગણાવ્યો.