ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે બેતાબ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે તેના માટે અમેરિકાની મદદ માંગી છે અને કહ્યું છે કે તેમની ભારત સાતે વાતચીત કરાવી દો.
શાહબાઝે અમેરિકાને કહ્યું, એક વખત વાત કરાવી દો
પાકિસ્તાનના સરકારી ટીવી પર જાહેર કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે શહબાઝ શરીફે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ટેલિફોનમાં વાતચીત દરમિયાન ભારત સાથે તેમની વાત કરવાની ભલામણ કરી છે. શરીફે કહ્યું હતું કે ભારત સાથે જમ્મુ-કાશ્મીર, સિંધુ જળ સંધિ, વ્યપાર અને આતંકવાદ જેવા તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માંગે છે. પાકિસ્તાનના સરકારી ટેલિવિઝન પર તેમણે શાહબાઝની આ આતુરતાનો વિડીયો પણ શેર કર્યો છે.
પાકિસ્તાને ભારતને આપ્યુ યુદ્ધ વિરામનું ક્રેડિટ
પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને હાલમાં જ ભારત-પાકિસ્તાન સંકટ દરમિયાન નિર્ણાયક કૂટનિતીક હસ્તક્ષેપ અને મહત્વપુર્ણ નેતૃત્વ માટે 2026માં નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. ટ્રમ્પે વારંવાર સંઘર્ષને ઓછો કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવી છે.