- ઈમરાન ખાનને વિરોધ છો઼ી સરકાર સાથે વાતચીત કરવા હાકલ કરવામાં આવી
- પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયામાં આ અંગેની જાણકારી શેર કરી
- સરકારે ઈમરાન ખાનને કહ્યું તે વાતચીતના તમામ દરવાજા ખુલ્લા છે
પાડોશી દેશ પાકિસ્તાન સરકારમાં જેલની હવા ખાઈ રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પ્રથમવાર મોટી ઓફર મળી છે. શાસક મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ગઠબંધનએ ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પીટીઆઈ પાર્ટીને રસ્તાઓ પરના વિરોધને છોડીને સરકાર સાથે વાતચીત કરવા માટે હાકલ કરી છે અર્થપૂર્ણ રીતે. સોમવારે એક સમાચારમાં આ જાણકારી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સેનેટના અધ્યક્ષ યુસુફ રઝા ગિલાની અને આયોજન મંત્રી અહેસાન ઈકબાલે વાતચીત માટે તૈયાર હોવાના સરકારના વલણ પર ભાર મૂક્યો અને કહ્યું કે ઈમરાનની પાર્ટીએ નક્કી કરવું જોઈએ કે તે કોની સાથે વાત કરવા માંગે છે.
લાહોરમાં મીડિયા સાથે વાત કરતા ગિલાનીએ સરકારની મંત્રણા કરવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. જો કે, ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે એવું લાગે છે કે ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) કોઈ અન્ય સાથે વાત કરવાનો ઈરાદો ધરાવે છે. પીપીપીના વરિષ્ઠ નેતા ગિલાની (71)એ કહ્યું કે દેશ હાલમાં અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે અને તેથી તમામ નેતાઓએ સાથે આવવું પડશે. અખબારે ગિલાનીને ટાંકીને કહ્યું હતું કે પીટીઆઈની આગેવાની હેઠળની સરકાર દરમિયાન વિપક્ષમાં હોવા છતાં તેઓ વાતચીત માટે તૈયાર હતા જ્યારે પીટીઆઈ ઈચ્છતી ન હતી.
સરકારે કહ્યું કે વાતચીતના દરવાજા ખુલ્લા છે
અન્ય એક પ્રશ્નના જવાબમાં ગિલાનીએ કહ્યું કે પીપીપી વર્તમાન સરકારને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, “પીપીપીએ ક્યારેય સૂચવ્યું નથી કે તે સરકારનો ભાગ નથી. અમે તમામ બાબતોમાં સરકારની સાથે છીએ.” પૂર્વ વડા પ્રધાને કહ્યું કે કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં કેબિનેટમાં લોકોને સામેલ કરવા માટે પાર્ટીની અંદર ચર્ચા ચાલી રહી છે. દરમિયાન આયોજન મંત્રી ઈકબાલે કહ્યું કે અર્થપૂર્ણ વાતચીત માટે સરકારના દરવાજા દરેક માટે ખુલ્લા છે. ઈકબાલે કહ્યું કે પીટીઆઈ ખૈબર-પખ્તુનખ્વામાં શાસક પક્ષ છે અને તેઓએ ત્યાંની જનતાની સેવા કરવી જોઈએ.


