- પાકિસ્તાનમાં મુંબઈ રહેતી મહિલા ન્યાયની આશામાં રઝળતી હાલતમાં
- ફરઝાના નામની મહિલા પુત્રો વિના ભારત પરત નહીં ફરવા મક્કમ
- ભારતીય મહિલાનો પતિ પત્નીના વીઝા સમાપ્ત થાય તેવી પ્રતીક્ષામાં
પાકિસ્તાનથી પતિ-પત્નીના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાકિસ્તાની પતિ તેની ભારતીય પત્નીના વિઝા સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યો છે. ભારતીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરી લીધા છે, હવે તેના બંને બાળકોનો જીવ જોખમમાં છે. મહિલાએ પાકિસ્તાનની કોર્ટમાં સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરી છે.
વાસ્તવમાં, ભારતના મુંબઈ શહેરની રહેવાસી ફરઝાના બેગમે વર્ષ 2015માં અબુ ધાબીમાં પાકિસ્તાની નાગરિક મિર્ઝા મુબીન ઈલાહી સાથે લગ્ન કર્યા હતા. આ બંને વર્ષ 2018માં પાકિસ્તાન આવ્યા હતા. તેમને સાત અને છ વર્ષના બે પુત્રો છે. ફરઝાના બેગમનું નામ એક સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેણે તેના પુત્રોની કસ્ટડી અને તેના પુત્રોના નામે કેટલીક મિલકતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે ફરઝાના બેગમ પોતાના બાળકોની સુરક્ષા માટે પાકિસ્તાનમાં કાનૂની લડાઈ લડી રહી છે. ફરઝાનાએ હવે પાકિસ્તાનમાં તેના બાળકોનો જીવ જોખમમાં હોવાનું કહીને ભારત પરત ફરવાનો ઈન્કાર કરી દીધો છે.
મિલકત વિવાદ કેસ
ફરઝાનાએ તેના પતિના દાવાને ફગાવી દીધો છે કે તેણે ફરઝાનાને છૂટાછેડા આપ્યા છે. ફરઝાનાનું કહેવું છે કે જો મિર્ઝા મુબીન ઈલાહીએ તેને તલાક આપી દીધા છે તો તેણે પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ. ફરઝાનાએ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં પ્રોપર્ટીના વિવાદને કારણે મારી અને મારા બાળકોની જિંદગી જોખમમાં છે, હું લાહોરના રહેમાન ગાર્ડનમાં મારા ઘરમાં સીમિત છું, મારા બાળકો ભૂખ્યા છે.’ ફરઝાનાએ ભારત પરત ફરવાનો ઈનકાર કરી દીધો છે અને મામલો ઉકેલાય ત્યાં સુધી પાકિસ્તાન સરકારને સુરક્ષા આપવાની માંગ કરી છે. ફરઝાનાએ કહ્યું કે લાહોરમાં કેટલીક મિલકતો તેના પુત્રોના નામે છે અને તેના પાસપોર્ટ તેના પતિના કબજામાં છે.
ફરઝાના બેગમ પુત્રો વિના ભારત પરત નહીં ફરે
ફરઝાના બેગમે જણાવ્યું કે તેના પતિની પહેલાથી જ પાકિસ્તાનમાં પત્ની અને બાળકો છે. ફરઝાનાનો આરોપ છે કે તેનો પતિ તેના પર મિલકતનો કબજો લેવા માટે ભારત પરત ફરવા માટે દબાણ અને ધમકી આપી રહ્યો છે. ફરઝાનાના વકીલે કહ્યું કે મિર્ઝા મુબીન ઈલાહી ખોટી અફવા ફેલાવી રહ્યા છે કે ફરઝાનાનો વિઝા પૂરો થઈ ગયો છે. ફરઝાનાએ કહ્યું કે તે તેના પુત્રો વિના ભારત પરત નહીં ફરે. ફરઝાનાએ કહ્યું કે તેનો પતિ દરેક પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યો છે જેથી તેના વિઝા સમાપ્ત થાય અને ફરઝાનાએ પોતે ભારત પરત ફરવું પડે.


