પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનના હાઇજેક પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે બલુચિસ્તાનમાં આતંકવાદે માથું ઉંચક્યું છે. આપણે પાક.સૈનિકોના બલિદાનને હંમેશા યાદ રાખીશું.
બલોચ લિબ્રેશન આર્મીએ ટ્રેનને કરી હાઇજેક
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનની ઝફર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કર્યું છે. આ ટ્રેનમાં લગભગ 400 મુસાફરો છે જેમને બલૂચ લિબરેશન આર્મીએ બંધક બનાવ્યા છે. જે સમયે આ ઘટના બની તે સમયે ટ્રેનમાં લગભગ 140 સૈનિકો પણ મુસાફરી કરી રહ્યા હતા. અપહરણના થોડા કલાકો પછી, ઝફર એક્સપ્રેસમાં સવાર તમામ મુસાફરોને બલુચિસ્તાન આર્મીના આતંકવાદીઓ દ્વારા છોડી દેવામાં આવ્યા હતા જ્યારે ટ્રેનમાં સવાર તમામ સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા હતા.બલોચ લિબરેશન આર્મી (BLA) ના લોકોએ 6 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે.
મુસાફરોનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ટ્રેન હાઇઝેકના સમાચાર મળતાની સાથે જ મુસાફરો અને સ્ટાફનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સરકારી નિવેદન મુજબ, સિબી હોસ્પિટલમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ખડકાળ ભૂપ્રદેશને કારણે, અધિકારીઓને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કાવતરાઓને સફળ થવા દેવામાં આવશે નહીં – મંત્રી હસન લંજર
પ્રારંભિક માહિતી મળ્યા બાદ સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે આ ઘટનાની સખત નિંદા કરી હતી અને કહ્યું હતું કે ગોળીબારને કારણે મુસાફરો ઘાયલ થયા છે. રાષ્ટ્રવિરોધી અને અસામાજિક તત્વોના નાપાક કાવતરાઓને ક્યારેય સફળ થવા દેવામાં આવશે નહીં. સિંધ સરકાર બલુચિસ્તાન સરકારની સાથે ઉભી છે. પ્રાંતીય પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવશે.


