- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન થશે જેલમુક્ત
- એક વર્ષ જેટલો સમય અદિયાલા જેલમાં ઈમરાન ખાને વીતાવ્યો
- તોશાખાનાની ભેટને ખરીદી બમણા ભાવે વેચી દીધાનો ઈમરાન પર હતો આરોપ
પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને રાહત મળી છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ચૂંટણી પંચે જેલમાં બંધ વડાપ્રધાનને અયોગ્ય ઠેરવવાના વિરોધમાં પ્રદર્શન કરવા અને તેઓની પાર્ટીના ઘણા સિનિયર સહયોગીઓ સામે કેસ નોંધાયો હતો. હવે નોંધાયેલા કેસમાં કોર્ટે ઈમરાન ખાન અને તેના સહયોગીએને મુક્ત કરી દીધા છે.
કોને મળી રાહત?
આ કેસમાં જિલ્લા અને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કરેલા અન્ય નેતાઓમાં શાહ મહમૂદ કુરેશી, શેખ રશીદ, અસદ કૈસર, શહરયાર આફ્રિદી, ફૈઝલ જાવેદ, રાજા ખુર્રમ નવાઝ અને અલી નવાઝ અવનનો સમાવેશ થાય છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યાસિર મહમૂદે બુધવારે સુનાવણી દરમિયાન આ ચુકાદો સંભળાવ્યો. આ નિર્ણય ગયા સપ્તાહે અનામત રાખવામાં આવ્યો હતો.
વર્ષ-2022માં આ કેસ નોંધવામાં આવ્યો હતો
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના 71 વર્ષીય સ્થાપક ખાન અને અન્ય રાજકારણીઓ વિરુદ્ધ 2022માં પાકિસ્તાનના ચૂંટણી પંચના તોશાખાના ભ્રષ્ટાચારના નિર્ણય સામે વિરોધ કરવા બદલ આબપરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસના કારણે ખાનને વડાપ્રધાન પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
પહેલા તોષાખાના કેસ શું છે?
પાકિસ્તાનના કાયદા અનુસાર, કોઈપણ વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટને સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે. જો રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે છે, તો તેણે તેની કિંમત જેટલી રકમ ચૂકવવી પડશે. આ હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો કાં તો તોશાખાનામાં જમા કરાવવામાં આવે છે અથવા તો તેની હરાજી કરી શકાય છે અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે.
આ વાત ત્યારે શરૂ થઈ જ્યારે ઈમરાન વડાપ્રધાન હતા. વર્ષ-2018માં સત્તામાં આવેલા ઈમરાન ખાનને સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોષાખાનામાં જમા કરવામાં આવી હતી. બાદમાં ઈમરાન ખાને તેમને તોશખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને પછી તેને બજારમાં વધુ કિંમતે વેચી દીધા. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં ફેરફાર પણ કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, ઈમરાને તોશખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને 5.8 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. ભેટમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો પણ સમાવેશ થાય છે.
આખો કેસ કઈ રીતે સામે આવ્યો ?
મળતી માહિતી અનુસાર, ઈમરાન ખાનને ગત ઓગસ્ટમાં સત્તા પરથી હટાવવાના થોડા મહિનાઓ બાદ સત્તાધારી ગઠબંધનના કેટલાક ધારાસભ્યોએ નેશનલ એસેમ્બલીના સ્પીકર રાજા પરવેઝ અશરફ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. ઈમરાન ખાન પર આરોપ હતો કે તેણે તોશાખાનાને મળેલી ગિફ્ટની વિગતો નથી આપી. તેમને વેચીને પૈસા કમાયા છે. પાકિસ્તાનના સ્પીકરે આ મામલે તપાસ કરાવી. ઈમરાન ખાનને 8 સપ્ટેમ્બરે નોટિસ મળી હતી. તેમણે આ નોટિસનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેમને મળેલી ચાર ભેટ તેમણે વેચી દીધી હતી. આ ભેટોમાં એક ગ્રાફ, એક રોલેક્સ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, ઘણી ધાતુની વસ્તુઓ અને એક વીંટીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ખાનને ત્રણ વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પછી સભ્યપદ પણ જતું રહ્યું
આરોપો સાબિત થયા બાદ ઈમરાન ખાને ગયા વર્ષે સંસદ સભ્યપદ પણ ગુમાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાને ઈરાદાપૂર્વક ઈલેક્શન એક્ટ, 2017ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું અને ખોટા નિવેદનો આપ્યા હતા. તેણે વર્ષ 2020-21 માટે તેની સંપત્તિ વિશે પણ ખોટી માહિતી આપી હતી.
ઈમરાન ખાનને ચૂંટણી અધિનિયમની કલમો સાથે બંધારણની કલમ 63 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પાકિસ્તાની બંધારણના અનુચ્છેદ 63 (1) જણાવે છે કે કોઈપણ વ્યક્તિ વર્તમાન સમયમાં મજલિસ-એ-શૂરા અથવા પ્રાંતીય એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાવા અથવા પસંદ કરવા માટે ગેરલાયક ઠરે છે.
ઈમરાન ખાનનું વલણ શું છે ?
મળતી માહિતી અનુસાર, તોશાખાના કેસ સામે આવ્યા પછી ઈમરાન ખાને ઈાની પર નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું આ ગિફ્ટસ તેમને ખાનગી રીતે મળ્યાં છે. જેથી તેઓ આને તેઓની પાસે રાખવાનો અધિકાર છે. જો કે બાદમાં તેઓએ તોશાખાના કેસના તમામ આરોપ પાયાવગરના ગણાવ્યા હતા.


