- પાકિસ્તાનની સરકારના મંત્રીએ ભારત પર વ્યક્ત કરી શંકા
- એક જ પેટર્નથી થઈ રહી છે હત્યાની કોશિશઃ મોહસિન નકવી
- પોલીસે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે
પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન અમીર સરફરાઝ તાંબાની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનના સીનિયર પોલીસ ઓફિસરે દાવો કર્યો છે કે સરફરાઝ હજુ જીવિત છે અને ગંભીર રીતે ઘાયલ છે. તો પાકિસ્તાન સરકારના મંત્રીએ ભારત પર આરોપ લગાવ્યા છે.
સરબજીત સિંહની 2013માં કરાઈ હતી હત્યા
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના રહેનારા સરબજીત સિંહની 2013માં હત્યા કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હાજિફ સઈદની નજીકના અમીર સરફરાઝ તાંબાએ પોલિથિનથી ગળું દબાવીને મારી મારીને સરબજીતને મોતને ઘાટ ઉતાર્યો હતો. પાકિસ્તાનમાં તાંબાની અજ્ઞાત હુમલાવરોએ રવિવારે ગોળી મારીને હત્યા કરી. હવે પાકિસ્તાનના પંજાબના એક પોલિસ અધિકારીએ દાવો કર્યો છે કે સરફરાઝ તાંબા જીવિત છે.
તાંબાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તંબા પર મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ સનંત નગરમાં તેના ઘરે હુમલો કર્યો હતો. તાંબાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પરંતુ વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ઓપરેશન્સ લાહોર સૈયદ અલી રઝાએ ડૉન અખબારને જણાવ્યું હતું કે તાંબા હજી જીવિત છે પરંતુ ગંભીર રીતે ઘાયલ છે. રસપ્રદ વાત એ છે કે પોલીસ અધિકારીએ એ નથી જણાવ્યું કે જો તાંબા જીવિત છે તો તેને સારવાર માટે ક્યાં રિફર કરવામાં આવ્યો છે.
પોલીસ પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો
પોલીસ અધિકારીના દાવા સોમવારે લાહોર પોલીસના પ્રવક્તા ફરહાન શાહ સાથે એસએસપીના નિવેદન વિશે વાત કરી, ત્યારે તેમણે મામલાને સંવેદનશીલ ગણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.
હત્યાની પેટર્ન એક જ છેઃ ગૃહમંત્રી
આ સમગ્ર ઘટના વચ્ચે સોમવારે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ સરફાઝ તાંબાની હત્યા પાછળ ભારતનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સોમવારે મીડિયા સાથે વાત કરતા તેણે દાવો કર્યો હતો કે તાજેતરના ભૂતકાળમાં થયેલી કેટલીક હત્યાની ઘટનાઓમાં ભારત સીધું સામેલ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને હાલના તબક્કે તાંબાના મામલામાં ભારતની સંડોવણી વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે. જો કે, ભૂતકાળમાં થયેલી હત્યાઓની સમાન પેટર્નને કારણે તેઓ ભારતની સંડોવણીની શંકા કરે છે.
2 અજાણ્યા લોકો સામે FIR નોંધવામાં આવી છે
રવિવારે બપોરે તાંબાને જૂના લાહોરના સમૃદ્ધ વસ્તીવાળા વિસ્તાર સનંત નગરમાં તેમના ઘરે બે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તાંબાના લોહીથી લથપથ શરીરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સરફરાઝ તાંબાના નાના ભાઈ જુનૈદ સરફરાઝની ફરિયાદ પર પોલીસે બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ FIR નોંધી છે. એફઆઈઆર મુજબ, જુનૈદ સરફરાઝે કહ્યું કે તે અને તેના મોટા ભાઈ અમીર સરફરાઝ તાંબા જે લગભગ 40 વર્ષના હતા. ઘટના સમયે સનંત નગર સ્થિત પોતાના ઘરે હાજર હતો.
લાહોર કોર્ટે હત્યારાઓને નિર્દોષ જાહેર કર્યા હતા
વર્ષ 2013માં સરફરાઝ તાંબા અને તેના સહયોગી મુદસ્સેરે લાહોરની કોટ લખપત જેલમાં ફાંસીની સજા પામેલા ગુનેગાર સરબજીત પર હુમલો કર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. 2018માં લાહોર સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે સરબજીતના હત્યારાઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
અજાણતા સરહદ પાર કરી હતી
સરબજીત સિંહને 1990માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં કથિત સંડોવણી બદલ મોતની સજા ફટકારવામાં આવી હતી. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામમાં રહેતો ખેડૂત હતો. 30 ઓગસ્ટ, 1990ના રોજ તે અજાણતામાં પાકિસ્તાની સરહદે પહોંચી ગયો હતો. જ્યાં પાકિસ્તાની સેનાએ તેની ધરપકડ કરી હતી. જો કે, ભારતમાં સરબજીતના પરિવારનું કહેવું છે કે તેણે અજાણતા સરહદ પાર કરી હતી.
સરબજીતની બહેને લાંબી લડાઈ લડી
પોતાને નિર્દોષ જાહેર કરતા સરબજીતે એક પત્રમાં લખ્યું હતું કે ‘હું ખૂબ જ ગરીબ ખેડૂત છું અને મારી ધરપકડ ખોટી ઓળખના કારણે કરવામાં આવી છે. 28 ઓગસ્ટ 1990 ની રાત્રે, હું ખરાબ રીતે દારૂના નશામાં હતો અને જ્યારે હું સરહદ પર પકડાયો ત્યારે મને માર મારવામાં આવ્યો. મને કોણ મારતું હતું તે પણ હું જોઈ શકતો ન હતો. મને સાંકળોથી બાંધીને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. તેમની બહેન દલબીર કૌરે પાકિસ્તાનમાંથી તેમની મુક્તિ માટે લાંબી લડાઈ લડી હતી, પરંતુ તે સફળ થઈ ન હતી.


