- 24 જુલાઈથી જમીનના નાના ટુકડા માટે વિવાદ શરુ થયો
- કુર્રમ આદિવાસી જિલ્લામાં જમીન વિવાદે તણાવ વધાર્યો
- શિયા અને સુન્ની સામસામે આવ્યા, લોહિયાળ યુદ્ધ ફાટી નીકળ્યું
પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે જમીનના નાના ટુકડાને લઈને વિવાદ શરુ થયો છે. આ લોહિયાળ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. 24 જુલાઈથી અથડામણ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 32 મૃતદેહો અને 200થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
પાકિસ્તાનના અશાંત ઉત્તરપશ્ચિમ કુર્રમ આદિવાસી જિલ્લામાં જમીન વિવાદે સાંપ્રદાયિક હિંસા ફેલાવી છે. જમીનના આ નાના ટુકડા પરની લડાઈ સુન્ની અને શિયા જાતિઓ વચ્ચેના લોહિયાળ સંઘર્ષમાં પરિણમી છે. 24 જુલાઈથી શરૂ થયેલ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 43 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
આદિવાસી જીર્ગાની મદદથી યુદ્ધવિરામ થયો
એક અહેવાલ મુજબ, આદિવાસીઓએ સોમવારે સ્થાનિક આદિવાસી જિર્ગાની મદદ અને સમર્થનથી અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અસ્થિર પર્વતીય કુર્રમ પ્રદેશમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં આદિવાસીઓ અને ધાર્મિક જૂથો વચ્ચે સાંપ્રદાયિક અથડામણો અને આતંકવાદી હુમલાઓ જોવા મળે છે. સરકારના ગૃહ અને આદિજાતિ બાબતોના વિભાગ અનુસાર, કુર્રમમાં હાલમાં આઠ જેટલા મોટા વિવાદો થયા છે.
શિયા અને સુન્ની બે પરિવારો વચ્ચે કેમ લડાઈ શરુ થઈ
ગયા અઠવાડિયે, બે શિયા અને સુન્ની પરિવારો વચ્ચે મિલકતની માલિકી અંગે લોહિયાળ લડાઈ થઈ હતી. આ દુશ્મનાવટ ઝડપથી ઘણા ગામો અને ગામડાઓમાં ફેલાઈ ગઈ, જેના કારણે સમગ્ર જિલ્લામાં હિંસા થઈ. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાંથી 34 શિયા જાતિના અને આઠ સુન્ની જાતિના હતા.
સુન્ની જાતિઓને સરહદ પારથી સમર્થન
કુર્રમના મકબાલ અને તેરી મંગલ વિસ્તારમાં શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે રવિવાર રાત અને સોમવારે સવાર સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના સુન્ની જાતિઓને સરહદ પારથી સમર્થન મળી રહ્યું છે કારણ કે આ પરિવારો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વિવાદિત સરહદ ડ્યુરન્ડ લાઇનની બંને બાજુએ રહે છે.
ખોરાક અને દવાઓની અછત
અથડામણ અને અશાંતિને રોકવા માટે વિસ્તારના મોટાભાગના ગામોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે તેના કારણે લોકોને ખોરાક અને દવાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.


