પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ
દર મહિને ભગવાન ઐળ્યપ્પા, પવિત્ર દિવસે ઉત્તરમ નક્ષત્રના દિવસે રાજકોટના વિવિધ મંદિરોમાં ક્રમશઃ ભજનના કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શુભ અને પવિત્ર ઉત્તરમ નક્ષત્રના અવસરે રાજકોટના ભગવાન અય્યપ્પાના ભક્તો દ્વારા એક અનોખી અને આધ્યાત્મિક પહેલરૂપે મંદિર સંકલન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે વિશેષ માહિતી આપતા પ્રમુખ ડો. સંજુ પિલ્લાઇ ઉપપ્રમુખ રાજેશ પિલ્લાઈ, સેક્રેટરીગોપાલ કૃષ્ણ પિલ્લાઇ વિશેષ જણાવે છે કે,પવિત્ર ભજન કાર્યક્રમ પંચનાથ મંદિર ખાતે યોજાશે.
“મંદિર સંકલન ભજન” પહેલનો મુખ્ય હેતુ રાજકોટના વિવિધ મંદિરો અને ભક્તોને એક સૂત્રમાં બાંધવાનો છે। આ પહેલ દ્વારા ભક્તોમાં પરસ્પર સ્નેહ, સહકાર અને આધ્યાત્મિક એકતાનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।
આગામી સમયમાં દર મહિને ભગવાન અય્યપ્પા માટે અત્યંત પવિત્ર માનાતા ઉત્તરમ નક્ષત્રના દિવસે રાજકોટના વિવિધ મંદિરોમાં ક્રમશઃ ભજન કાર્યક્રમો યોજવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। આ દ્વારા શહેરના વિવિધ મંદિરો વચ્ચે આધ્યાત્મિક જોડાણ મજબૂત બનશે અને ભક્તિનો પ્રવાહ વધુ વ્યાપક રીતે ફેલાશે.
આ પાવન પ્રસંગે તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે તેઓ મોટી સંખ્યામાં હાજર રહી ભજનમાં ભાગ લઈ પોતાના જીવનને ધન્ય બનાવે। ભજન કાર્યક્રમ સાંજે ૭:૦૦ વાગ્યે પંચનાથ મંદિર ખાતે શરૂ થશે।
“સ્વામિયે શરણમ અય્યપ્પા”ના પવિત્ર ગુંજન સાથે આ ભજન સંધ્યા ભક્તિ, શ્રદ્ધા, એકતા અને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ કરાવશે.


