- રાજકોટમાં વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું
- ગળેફાંસો ખાઈને વિદ્યાર્થિનીએ વખ ઘોળ્યું
- ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટનામાં મેડિકલ કોર્સની એક સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે, પરંતુ આ પહેલા તેણે પોતાના વોટ્સએપમાં એક સ્ટેટસ અપડેટ કર્યું હતું, જેમાં લખ્યું હતું – પપ્પા હું જિંદગીથી કંટાળી ગઈ છું.
આ મામલે મળતી વિગતો સિહોર નજીકના રામગઢની વતની અને હાલ રાજકોટમાં રહીને અભ્યાસ કરતી મેડિકલની વિદ્યાર્થિનીએ રાતના સમયે તેના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બનાવની જાણ મળતાં જ ઘટનાસ્થળે પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. આના પછી 108ને જાણ કરતા તેના સ્ટાફે યુવતીને નીચે ઉતારી તેને ચેક કરી મૃત ઘોષિત કરી હતી. જેના પછી પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મોકલ્યો હતો.
આ મામલે પોલીસ સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર યુવતીએ અંતિમ પગલું ભર્યા પહેલા એક યુવાન સાથે વાતચીત કરી હતી. જેના બાદ તેણે પોતાનો મોબાઈલ પાણી ભરેલી બાલ્ટીમાં ફેંકી દીધો હતો, અને દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મોબાઈલ પણ પોલીસે કબજામાં લીધો છે અને હવે યુવક મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે યુવતીએ મરતાં પહેલા એક વોટ્સએપ સ્ટેટસ અપડેટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે પપ્પા હું જિંદગીથી કંટાળી ગઈ છું.
બીજી તરફ યુવતીના સગાવહાલાઓ તરફથી મળતી માહિતી અનુસાર તેમના ગામના એક યુવાને આ યુવતીની પજવણી કરી હતી, જેના પછી ઝઘડો થયો હતો અને યુવાનને આવું ભવિષ્યમાં ન કરવાનું કહ્યું હતું. જો કે મરતા પહેલા યુવતીએ આ જ યુવાન સાથે વાતચીત કરી હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થિની અને યુવાન વચ્ચે શું વાતચીત થઈ અને એવું તે શું બન્યું કે અચાનક યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ મામલે અનેક પ્રશ્નોના ઉત્તર હજુ નિરુત્તર છે. પોલીસ તપાસ પછી તેમના વિશે જાણકારી સામે આવે તેવો સંભવ છે.