- શિક્ષકો ન હોવાથી અન્ય સ્કૂલમાં એડમિશન લેવા સૂચના: વાલી
- હિન્દીને બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવા કહેવાયું
- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઇ રહી હોવાની ચર્ચા શરૂ
અમદાવાદમાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં હોબાળો થયો છે. જેમાં ધોરણ 8માંથી પાસ થયેલાને ધોરણ 9માં લેવાનો ઈન્કાર કરતા રોષ ફેલાયો છે. શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે. વાલીઓએ જણાવ્યુ છે કે શિક્ષકો ન હોવાથી અન્ય સ્કૂલમાં એડમિશન લેવા સૂચના આપવામાં આવી છે.
હિન્દીને બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવા કહેવાયું
હિન્દીને બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવા કહેવાયું છે. જેમાં 56 વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે. ત્યારે શાહીબાગમાં આવેલ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓનો હોબાળો સામે આવ્યો છે. 8માં ધોરણમાંથી પાસ થયેલા 9માં ધોરણમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં લેવાનો ઇનકાર કર્યો છે. જેમાં 8માંથી 9માં ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં તેવો વાલીઓનો આક્ષેપ છે. તેમજ શિક્ષકો ન હોવાથી અન્ય સ્કૂલમાં એડમિશન લેવા વાલીઓને સૂચના અપાઇ છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઇ રહી હોવાની ચર્ચા શરૂ
હિન્દી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લો તેવી વાલીઓને સૂચના અપાઈ હોવાનો વાલીઓનો આક્ષેપ છે. ત્યારે હવે શાળામાં ધોરણ 8માં 56 વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે. તથા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઇ રહી હોવાની ચર્ચા શરૂ થઇ છે.


