By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કારતક માસમાં ધમધમતી વૃંદાવનની પરિક્રમા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કારતક માસમાં ધમધમતી વૃંદાવનની પરિક્રમા

agragujaratnews
Last updated: 2024/11/07 at 1:38 PM
1 year ago
Share
કારતક માસમાં ધમધમતી વૃંદાવનની પરિક્રમા
SHARE

વૃંદાવન એટલે વૃંદા(તુલસી)નું વન. બીજા અર્થમાં વૃંદ એટલે સમૂહ અને અવન એટલે રક્ષણ. ભક્તોના સમૂહનું જ્યાં રક્ષણ થાય છે તે સ્થળ એટલે વૃંદાવન. વૃંદાએ શ્રી હરિને પામવા અહીં તપ કરેલું એટલે તે વૃંદાવન કહેવાય છે. વૃંદાવન ભૂમિનાં દર્શન કરવા માટે દેવો પણ તલસે છે.

વૃંદાવનની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધવા માટે ભાવિક ભક્તોનો મહાસાગર કારતક માસમાં છલકાય છે. શ્રી હરિવંશ મહાપ્રભુજીએ જુગલઘાટ પર પહેલો ઉતારો કરીને આ પરિક્રમાની શુભ શરૂઆત કરી હતી, જેથી પ્રતિવર્ષ પરંપરાગત વૃંદાવનની પરિક્રમાનો પ્રારંભ જુગલઘાટથી શરૂ થાય છે. જ્યાં હિત હરિવંશ મહાપ્રભુજીની બેઠક સન્મુખ આપણા આચાર્ય ગોસ્વામી પરિક્રમાના નિયમ અને પ્રતિજ્ઞાઓ લેવડાવ્યા બાદ આ પદયાત્રાનો પ્રારંભ કરાવે છે. ઘણા શ્રદ્ધાળુઓ દંડવત્ પ્રણામ કરતાં કરતાં આ પરિક્રમા પૂર્ણ કરે છે.

વૃંદાવન મંદિરોની નગરી તરીકે જગવિખ્યાત છે. અહીં લગભગ સાડા પાંચ હજારથીયે વધુ નાનાં-મોટાં મંદિરોનો સમુદાય છે. વહેલી સવારથી જ પરિક્રમાના માર્ગોમાં ભજનમંડળીઓની રમઝટ અને સંતવાણી વહ્યા જ કરે છે. વૃંદાવનની પરિક્રમા કરતાં કરતાં અલગ અલગ ઘાટ, અલગ અલગ વન, અગણિત આશ્રમો, મઠો, ગૌશાળાઓ, ધર્મશાળાઓ અને ગલી ગલીમાં શાહીઠાઠ નજરે પડે છે. અહીંનું રાધાવલ્લભજીનું મંદિર, નિકુંજવન-સેવાકુંજ, શ્રીરાસમંડલ, શ્રી ગોવિંદદેવજી, શ્રી મદનમોહનજી, શાહજી મંદિર, શ્રી રાધા દામોદર મંદિર, શ્રી કાત્યાયની મંદિર, રાજા બનમાલીરાયજીનું મંદિર, રાધા-માધવ મંદિર, શ્રી ગોપેશ્વર મહાદેવ તથા સેવકજી મહારાજની જીવન ઝાંખીનાં દર્શન કરીને ભાવિક ભક્તો પાવન થાય છે. વૃંદાવનમાં યમુના તટ પર કેટલાય ઘાટ છે. તે પૈકી જુગલઘાટ, વિહારઘાટ, ગોવિંદઘાટ, જગન્નાથ ઘાટ અને કેશીઘાટ પર યાત્રાળુઓ સ્નાન કરીને કૃતકૃત્ય થાય છે.

 સમસ્ત વ્રજધામ 84 કોસની પરિમિતિમાં ફેલાયેલું છે. જેમાં 12 વન અને 24 ઉપવન છે. વૃંદાવનમાં અક્રુરઘાટ, કાલીઘાટ, યુગલઘાટ, અદ્વૈતઘાટ, શૃંગારઘાટ, યમુનાઘાટ , તુલસીકુંજ આકર્ષક દર્શનીય સ્થળો છે. આ ઉપરાંત અહીં નવાં બનેલાં મંદિરોમાં વૈષ્ણોદેવી મંદિર, પ્રેમમંદિર, અક્ષયપાત્ર, રાધાકાંત જૂનું મંદિર અને ઇસ્કોન મંદિર ભવ્યાતિભવ્ય છે. આ મંદિરોના દર્શનાર્થે લાખોની જનમેદની ઊમટી પડે છે. શ્વેત વારાહ કલ્પમાં શરદપૂર્ણિમાની રાત્રિએ શ્રીકૃષ્ણએ અહીં મહારાસ કર્યો હતો. આમ, છ માસની રાત્રિ બની ગઈ હતી. આ તો ઠાકોરજીની કૃપા કહો કે લીલા, અહીં એકસાથે નવધાભક્તિ અને સૌથી શ્રેષ્ઠ પ્રેમલક્ષણા ભક્તિને પ્રગટ કરવાનું સામર્થ્ય આ ભૂમિમાં છે. 999 તીર્થો પૈકી 100 તીર્થો પરમ પુનિત છે, પરંતુ 100 તીર્થોનો શિરમોર મુકુટમણિ એ તો શ્રી વૃંદાવન ધામ છે. આ ધામમાં આજે પણ ભક્તિ મહારાણી સાક્ષાત્ નૃત્ય કરી રહ્યાં છે. એ વૃંદાવન ધામ જાણે રાધારૂપ જ છે અને ગોવિંદનું મન હરણ કરી રહ્યાં છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટ

 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક

Editor By Editor 5 days ago
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?