પાટણ શહેરમાં બનેલા નવા ઓવરબ્રિજની નીચે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોય, વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ શહેરમાં રેલવે સ્ટેશનથી યુનિવર્સિટી તરફ્ જવા માટે નવો ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો નાખવાની તેમજ આરસીસી રોડ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે રેલવે સ્ટેશનથી પાલિકા બજાર તરફ્ જવાના રસ્તા ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે એક પાલિકા બજાર તરફ્ના રસ્તા ઉપર માટીના મોટા ઢગલા કરી દેવામાં આવેલા છે. જેના કારણે રીક્ષા તેમજ ફેરવીલ વાહનો હાલમાં માત્ર રેલવે સ્ટેશનથી દેવ દર્શન કોમ્પલેક્ષ તરફ્ જવા માટેના એક જ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે આ રસ્તા ઉપર વારંવાર ટ્રાફ્કિની સમસ્યા થઈ જાય છે. ત્યારે હાલમાં જે કામગીરી ચાલી રહી છે. તે કામગીરીમાં ઝડપ કરવામાં આવે અને જે માટીના મોટા ઢગલા કરવામાં આવેલા છે. તેને સમતળ કરવામાં આવે તો વાહન ચાલકોને અવર-જવરમાં વધુ સરળતા રહે તેમ છે. વાહન ચાલકો છેલ્લા 15 થી 20 દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો બાજુમાં એક ખાનગી શાળા પણ આવેલી હોય વિદ્યાર્થીઓ લઈને આવતા વાહનોને પણ અવરજવરમાં મશ્કેલી પડી રહી છે.


