- રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો
- ભરતસિંહ ડાભીએ પોતાના ભાષણમાં વિવાદસ્પદ બોલ બોલ્યા
- ભરતસિંહ ડાભીએ સાંસદ પદને ધંધા સાથે સરખાવ્યું
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. પાટણમાં જિલ્લા વાયબ્રન્ટ સમિટને લઈ રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના ભાષણમાં વિવાદસ્પદ બોલ બોલ્યા હતા.
રાજકારણ મારો 27મો ધંધો છે
ઉલ્લેખનીય છે કે ભરતસિંહ ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવાની વાત કરવા જતા એટલા ઉત્સાહમાં આવી ગયા કે તેઓએ પોતાની વાત કરવા લાગ્યા અને વિવાસ્પદ નિવેદન કરી દીધુ હતુ. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યુ હતુ કે, પોતે 26 ધંધામાં હાથ અજમાવી ચૂક્યા છે. જોકે આખરે બધા જ ધંધા બંધ થઈ ગયા અને રાજકારણનો ધંધો સારો ચાલ્યો છે. જેમાં ભરતસિંહ ડાભીએ સાંસદ પદને ધંધા સાથે સરખાવ્યું છે. રાજકારણ મારો 27મો ધંધો છે. આ એક જ ધંધો મારો ચાલુ છે.
જાણો ભરતસિંહ ડાભીની રાજકીય સફર વિશે:
18 માર્ચ 1955માં જન્મેલ ખેરાલુના ધારાસભ્ય અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટીકીટ આપી. આ બેઠક પર ઠાકોર સમાજના ક્દવાર નેતા લીલાધર વાઘેલાની ટીકીટ કાપીને ભરતસિંહને ટીકીટ પક્ષ દ્વારા અપાઈ. તેઓના રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 1985ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. 2002ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા પછી ચેરમેન બન્યા હતા.
ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલ નથી
ભરતસિંહ ડાભી 2007ની સૌ પ્રથમ વિધાનસભાની ચુંટણી લડીને જીત મેળવી હતી. 2012ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને 2017ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા. પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભરતસિંહ ડાભીએ 4.86 કરોડની સંપતિ જાહેર કરેલ છે. તેઓએ બી.એ. એલ.એલ.બી ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલ નથી.