- આવતીકાલે અબુધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે
- PM ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે
- બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા
પીએમ મોદી દુબઈ જવા રવાના થઈ ચૂક્યા છે. આ પ્રવાસમાં તેઓએ અહલાન મોદી કાર્યક્રમ પહેલા પ્રવાસી ભારતીયોને લઈને પણ વાત કરી છે. આવતીકાલે પીએમ મોદી અબુધાબીમાં હિંન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ સાથે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના MoU પણ થવાની શક્યતા જોવા મળી રહી છે. અહીં PM દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે. 2015 બાદ PM મોદીનો સાતમી વખત UAE પ્રવાસે છે. આ સમયે તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે બેઠક પણ કરશે.
અબુધાબીમાં યોજાશે અહલાન મોદી કાર્યક્રમ
મુલાકાત પહેલા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમને ભારતીય ડાયસ્પોરા અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે આજે અબુધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં UAEમાં ભારતીય પ્રવાસીઓ સુધી પહોંચવા આતુર છે.
PM મોદી UAEમાં ભારતીયોને મળવા આતુર
પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી, UAEમાં ભારતીય પ્રવાસીઓ વચ્ચે રહેવાની રાહ જોઈ રહ્યા છીએ! આ યાદગાર પ્રસંગ માટે અમારી સાથે જોડાઓ.” ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાન છતાં પણ UAEમાં PM મોદીને મળવા માટે ભારતીય સમુદાયનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. અત્યાર સુધીમાં, ‘અહલાન મોદી’ ઇવેન્ટની પૂર્વસંધ્યાએ પૂર્ણ-ગ્રાઉન્ડ રિહર્સલ અને સ્વયંસેવક બ્રીફિંગમાં ભાગ લેવા માટે 2,500 થી વધુ લોકોએ ભારે વરસાદનો સામનો કર્યો હતો. PM મોદી મંગળવારે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કરવાના છે.
આવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ
13 ફેબ્રુઆરીનું સંભવિત સમયપત્રક
- PM મોદી સાંજે 4 વાગે અબુધાબી પહોંચશે.
- અબુધાબીમાં સાંજે 4 થી 5:30 દરમિયાન દ્વિપક્ષીય મંત્રણા થશે.
- રાત્રે 8 થી 9.30 વાગ્યા સુધી અહલાન મોદી સમુદાયનો કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાજર રહેશે.
ફેબ્રુઆરી 14 શેડ્યૂલ
- અબુધાબીમાં સવારે 9.20 કલાકે વિદેશ મંત્રાલયની બ્રિફિંગ યોજાશે.
- પીએમ મોદી બપોરે 1.50 થી 2.10 દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે.
- સાંજે 6 થી 9 વાગ્યા સુધીના કાર્યક્રમમાં PM મોદી UAE ના પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
14 ફેબ્રુઆરીએ PM મોદી કતારની રાજધાની દોહાની મુલાકાત લેશે
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ માહિતી આપી છે કે, 14 ફેબ્રુઆરીએ UAEની મુલાકાત પૂર્ણ કર્યા બાદ PM મોદી 14 ફેબ્રુઆરીએ બપોરે કતારની રાજધાની દોહા જશે. મુલાકાત દરમિયાન PM મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અને વરિષ્ઠ મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાનની કતારની આ બીજી મુલાકાત હશે. વિદેશ સચિવે માહિતી આપી છે કે ભારત અને કતાર વચ્ચેનો મજબૂત દ્વિપક્ષીય વેપાર હાલમાં 20 અબજ ડોલરનો છે.


