પીએમ નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે, 21 સપ્ટેમ્બરે ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે અમેરિકા જશે. આ દરમ્યાન જુદાજુદા મુદ્દાઓ પર વાતચીત થશે. આ મુદ્દામાં રશિયા-યુક્રેન યુદ્ધ અને હિંદ પ્રશાંત સમૃદ્ધિના આર્થિક માળખા જેવા મુદ્દે ચર્ચા થશે. આ દરમ્યાન આશા કરાઈ રહી છે કે ભારત-યુક્રેન યુદ્ધને લઈ શાંતિ ઠરાવ રજૂ કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વીપક્ષીય બેઠકમાં વ્યાપક રણનીતિ ભાગીદારીને આગળ વધારવા નક્કર વાતચીત થશે. વાતચીતમાં હિંદ-પ્રશાંત સમૃદ્ધિ આર્થિક માળખાના બે વધારાના સ્તંભો સ્વચ્છ અને નિષ્પક્ષ અર્થવ્યવસ્થાના મુદ્દા પર પણ ચર્ચા કરાશે. આ દરમ્યાન પીએમ મોદી-જો બાઈડેનની મુલાકાતમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને બાદમાં ડેલાવેયરમાં રાષ્ટ્રપતિના ગૃહનગર વિલમિંગ્ટનમાં ક્વાડ બેઠકમાં બે પ્રમુખ સાથે ચર્ચા થવાની આશા છે. પરંતુ ભારત સરકાર પોતાની તરફથી કોઈપણ શાંતિ પહેલના ઠરાવ આપવા કટિબદ્ધ નથી.


