- પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં હાલ સ્થિતિ ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ
- પીઓકેના લોકો મોંઘવારીથી ત્રસ્ત છતાં સરકાર મસ્ત
- પીઓકેમાં સ્થિતિ વણસી હોવા છતાં સરકાર શાંતિ રાખવાની અપીલ કરી રહ્યું છે
પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં હાલના સમયમાં સ્થિતિ ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ છે. સોમવારે વીજળી બિલ, ટેક્સ અને લોટના ભાવમાં ભારે વધારાને કારણે સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. મોંઘવારી સામે આ વિસ્તારમાં સંપૂર્ણ હડતાળ ચોથા દિવસે પણ ચાલુ રહી હતી. બગડતી પરિસ્થિતિ વચ્ચે શનિવારે સુરક્ષાકર્મીઓ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ બાદ પાકિસ્તાન સરકાર સ્થિતિને શાંત કરવાના પ્રયાસો કરી રહી છે.
વડાપ્રધાન વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરશે
શનિવારે આ વિસ્તારમાં થયેલી અથડામણમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. પ્રદર્શન દરમિયાન લગભગ 100 ઘાયલ પણ થયા હતા, જેમાં મોટા ભાગના પોલીસકર્મીઓ હતા. શુક્રવારથી આ વિસ્તારમાં સંપૂર્ણ હડતાળ ચાલી રહી છે. આ તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી શકે છે. બેઠકમાં મોંઘવારી અંગે ચર્ચા થવાની શક્યતા છે.
જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) આ પ્રદેશમાં વીજળીની જોગવાઈઓ, ઘઉંના લોટ પર સબસિડી અને અન્ય વિશેષાધિકારો નાબૂદ કરવાની માંગ કરી રહી છે. JAACના નેતૃત્વમાં સોમવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ માટે રેલી કાઢવામાં આવી હતી. રાવલકોટના એક વિરોધ નેતાએ સરકાર પર અવગણનાની યુક્તિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો.।
તણાવને શાંત કરવાનો પ્રયાસ
મળતી માહિતી અનુસાર, પ્રદર્શનકારીઓએ પહેલા જ ઘણા જ સ્થાનો પર ધરણાં આપ્યા હતા. રસ્તાઓ અને કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. બજારો, વેપાર કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે તેમણે પીઓકેના (ગેરકાયદેસર રીતે નિયુક્ત) વડાપ્રધાન ચૌધરી અનવારુલ હક સાથે વાત કરી હતી. આ સાથે તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગમાં પણ જોડાયા હતા
તણાવને શાંત કરવાના પ્રયાસમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તમામને સંયમ સાથે કામ લેવાની અને પરસ્પર ચર્ચા કરી મુદ્દો ઉકેલવાની વાત કરી હતી. તેમને જણાવ્યું કે આ ક્ષેત્રના લોકોની માંગોને નિયમ પ્રમાણે સંબોધિત કરવા જોઈએ.


