- IT ની રેડમાં 7 કરોડ રોકડ,12 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું
- જયપુરના ગણપતિ પ્લાઝામાં આવેલા છે લગભગ 1100 લોકર
- લોકર્સમાં કૌભાંડોના કરોડો રૂપિયા જમા: સાંસદ કિરોની લાલ મીના
રાજસ્થાનના જયપુરના ગણપતિ પ્લાઝામાં કાળા નાણાને લઈને આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. 2 લોકર કાપવામાં આવ્યા છે. એક લોકરમાંથી લાખોની રોકડ મળી આવી છે. બીજા લોકરમાં નોટો ભરેલી બોરી મળી આવી છે. પૈસાની ગણતરી ચાલુ છે.
ગત મહિને રાજ્યસભાના સાંસદ કિરોરી લાલ મીનાએ આરોપ લગાવ્યો હતો કે પેપર લીક થકી કમાયેલું કાળું નાણું આ લોકરમાં રાખવામાં આવ્યું હતું. આ મામલામાં પહેલો દરોડો 13 ઓક્ટોબરે પાડવામાં આવ્યો હતો. લોકર ધારકોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 ઓક્ટોબરે 80 લોકર ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. 17 ઓક્ટોબરે ત્રણ લોકરમાંથી 30 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. 21 ઓક્ટોબરે રૂ. 2.46 કરોડની ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લોકરમાંથી 7 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 12 કિલોથી વધુ સોનું મળી આવ્યું છે.
ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર
જયપુરના ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર આવેલા છે. તેમાંથી 540 લોકર એક્ટિવ છે. કેટલાક લોકર એવા પણ મળ્યા છે જેના માલિકનું નામ અને સરનામું ઉપલબ્ધ નથી. એટલે કે જેના નામે આ લોકર્સ લેવામાં આવ્યા છે તે વ્યક્તિ અસ્તિત્વમાં જ નથી. દરોડા દરમિયાન, આવકવેરા વિભાગે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રિકવર કર્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે.
જે કહ્યું હતું તે જ થયું: કિરોની લાલ મીના
જ્યારે ગણપતિ પ્લાઝાના લોકરમાંથી રોકડ અને સોનાની રિકવરી અંગે પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના સાંસદ કિરોની લાલ મીણાએ કહ્યું, ‘મેં જે કહ્યું હતું, આખરે તે જ થયું.’ કેએલ મીણા આ લોકરો ખોલાવવા માટે હડતાળ પર ઉતર્યા હતા. તેમણે કહ્યું કે ગણપતિ પ્લાઝાના 100 લોકરમાં 50 કિલો સોનું અને લગભગ 500 કરોડ રૂપિયાનું કાળું નાણું છુપાવવામાં આવ્યું છે.
તેમણે આ મામલે, રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં પણ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે આ નાણાં રાજસ્થાનમાં વિવિધ કૌભાંડો અને પેપર લીક કૌભાંડોમાંથી એકત્ર કરવામાં આવ્યા છે.