ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાંસિસ ન્યૂમોનિયા સામે જંગ જીત્યા છે. રોમની હૉસ્પિટલમાં દાખલ 88 વર્ષીય પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તબીબે જણાવ્યુ છે કે પોપે ન્યૂમોનિયાના ગંભીર સંક્રમણના સ્ટેજને પાર કરી લીધો છે. પરંતુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે હજુ થોડા સમય લાગશે. પોપને શ્વાસ લેવામાં હવે સરળતા છે. અગાઉ તેઓને ઓક્સિજન આપવામાં આવતા હતા.
પોપ ફ્રાંસિસની તબિયતમાં સુધાર
રોમની હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તેમને હાલ માસ્ક મારફતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. પોપ નિયમિત રીતે ફિઝિયોથેરાપી પણ લઇ રહ્યા છે. ન્યૂમોનિયાના કારણે વર્ષમાં 25 લાખથી વધુના મોત થાય છે. આ ગંભીર બીમારીને પોપે જૈફ વયે માત આપી છે. ન્યૂમોનિયાનું સંક્રમણ કેવી રીતે થાય છે. તેના વિશે જાણીએ. ન્યૂમોનિયા એક પ્રકારનું સંક્રમણ છે. જે ફેફસામાં હાજર નાના-નાના વાયુ થૈલીમાં સુજાવો પેદા કરે છે. અને આ સુજાવો વધતા જ વાયુ થૈલીમાં પાણી ભરાય જાય છે. વર્ષ 2019માં ન્યૂમોનિયાના કારણે 25 લાખથી વધુના મોત થયા હતા. 13 સેકંડમાં દર એક વ્યક્તિ મૃત્યુ પામે છે. આ સંક્રમણ બાળકો અને વૃદ્ધોમાં વધુ અસર કરે છે.
કયા દેશમાં સૌથી વધુ થાય છે મોત ?
ન્યૂમોનિયાના કારણે બે-તૃત્તાંશ જેટલા મોત તો માત્ર 20 દેશમાં જ થાય છે. આમાં ભારત, ચીન, નાઇજીરીયા, જાપાન, બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ્સ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇન્ડોનેશિયા, યુનાઇટેડ કિંગડમ, બાંગ્લાદેશ, રશિયા, તાંઝાનિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, જર્મની અને બુર્કિના ફાસોનો સમાવેશ થાય છે.


