પંજાબ કિંગ્સની તાજેતરમાં જ આઈપીએલ 2025ની ફાઈનલમાં 6 રનથી હાર થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ફાઈનલમાં 190 રન જ બનાવ્યા હતા અને પંજાબની ટીમ 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી.
પંજાબનો 24 વર્ષનો બેટ્સમેન નેહલ વાઢેરા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18 બોલમાં 15 રન જ બનાવી શક્યો. તેને એક છગ્ગો ફટકાર્યો હતો. પાંચમાં નંબર પર બેટિંગ કરવા આવેલા નેહલ વાઢેરાને અનુભવી પેસર ભુવનેશ્વર કુમારે 17મી ઓવરમાં પેવેલિયન મોકલ્યો હતો, જેના બાદ પંજાબની ટીમ ટાઈટલ મેચમાં પાછળ રહી ગઈ. નેહલ વાઢેરાએ હવે ફાઈનલમાં હાર માટે પોતાને જવાબદાર ગણાવ્યો છે. તેને પોતાની સૌથી મોટી ભૂલ જણાવી.
નેહલ વાઢેરાએ કહી આ વાત
નેહલ વાઢેરાએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ફાઈનલમાં બીજી ઈનિંગ માટે પિચ બદલવામાં આવી હતી? તેના જવાબમાં નેહલ વાઢેરાએ કહ્યું કે હું તેના માટે પોતાને દોષી માનું છું. હું તે સમયે સારું રમ્યો હોત તો અમે નિશ્ચિત રીતે જીતી શકતાં હતાં.
હું પિચને દોષી ગણાવીશ નહીં કારણ કે આરસીબીએ 190 રન બનાવ્યા હતા. મને લાગે છે કે હું ગેમને જીત સુધી લઈ જઈ શક્યો હોત. હું ગેમને જીત તરફ લઈ જઈને પૂર્ણ કરવામાં વિશ્વાસ રાખું છું. મને લાગે છે કે તે એ દિવસમાંથી એક હતો જેમાં હું મેચને પૂરી કરી શક્યો નહીં.
તેને આગળ કહ્યું’જ્યારે પણ ટુર્નામેન્ટમાં ગતિ વધારવી પડી તો મેં આવું જ કર્યું છે.’ છેલ્લી મેચને છોડીને મને તેનો ફાયદો જ મળ્યો. કેટલાક દિવસો તે ક્લિક કરતું નથી અને મને લાગે છે કે આ તે દિવસ હતો જ્યારે તે બન્યું ન હતું. પરંતુ મને કોઈ અફસોસ નથી કારણ કે હું રમતને ઊંડાણમાં લઈને જઈ રહ્યો હતો. પરિસ્થિતિ મુજબ તે ઠીક હતું કારણ કે વિકેટો પડી રહી હતી. પરંતુ મને લાગે છે કે હું થોડો ઝડપથી રમી શક્યો હોત, જે મેં શીખ્યું છે અને વિશ્લેષણ કર્યું છે. હું ભવિષ્યમાં આ કરીશ અને તે મને અને ટીમને મદદ કરશે.”
IPL 2025માં નેહલ વાઢેરાનું શાનદાર પ્રદર્શન
તમને જણાવી દઈએ કે નેહલ વાઢેરાએ ફાઈનલને છોડીને આઈપીએલ 2025માં સારી ગેમ રમી છે. તેને 16 મેચમાં 30.75ની એવરેજથી 369 રન બનાવ્યા. તેને બેટિંગ કરતાં બે અડધી સદી ફટકારી. તે 18મી સિઝનમાં પંજાબ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે ખેલાડીઓના લિસ્ટમાં પાંચમાં સ્થાને રહ્યો.