- બોર્ડની જાહેરાત બાદ રાહુલ દ્રવિડની પ્રતિક્રિયા
- સમયમર્યાદાને લઈ ચોખવટ કરવામાં નથી આવી
- કોચ રાહુલની આખી ટીમને રીપીટ કરવામાં આવી
ગુરુવારે દિલ્હીમાં રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને આ બેઠક યોજાઈ હતી. જ્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ આ મીટિંગમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે ત્યાં હાજર પત્રકારોએ તેમને વર્લ્ડ કપ રિવ્યુ મીટિંગ અને કોન્ટ્રાક્ટને લઈને સવાલો પૂછ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ODI વર્લ્ડ કપ 2023 ના અંત સાથે સમાપ્ત થયો. પરંતુ આ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રાહુલ દ્રવિડ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો અને બોર્ડે તેનો કાર્યકાળ લંબાવ્યો.
સ્ટાફને પણ એક્સટેન્શન આપ્યું
બીસીસીઆઈએ રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ જ નહીં લંબાવ્યો પરંતુ તેના સપોર્ટ સ્ટાફને પણ એક્સટેન્શન આપવાનો નિર્ણય કર્યો. જોકે, BCCIએ એ નથી જણાવ્યું કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે. હવે રાહુલ દ્રવિડે પોતાના બીજા કાર્યકાળને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે દિલ્હીમાં રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને આ બેઠક યોજાઈ હતી. જ્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ આ મીટિંગમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે ત્યાં હાજર પત્રકારોએ તેમને વર્લ્ડ કપ રિવ્યુ મીટિંગ અને કોન્ટ્રાક્ટ અંગે સવાલો પૂછ્યા તો રાહુલ દ્રવિડે કહ્યું કે તેણે હજુ સુધી કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા નથી.
દ્રવિડે મોટી વાત કરી દીધી
રાહુલ દ્રવિડે કહ્યું, “આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવી છે, મેં હજુ સુધી બીસીસીઆઈ સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ કાર્યકાળ અંગે ચર્ચા થઈ છે. એકવાર મને કાગળો મળી જશે પછી હું સહી કરીશ.” હાલ તો કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. બુધવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ આવતા વર્ષના T20 વર્લ્ડ કપ સુધી છે. પરંતુ આ પછી તેનો કાર્યકાળ લંબાવવામાં આવશે કે નહીં તે T20 વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવશે. રાહુલ દ્રવિડ ઉપરાંત BCCIએ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેનો કાર્યકાળ પણ લંબાવ્યો છે.
ટીમ આફ્રિકામાં રમવા માટે જશે
ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડનો આ બીજો કાર્યકાળ હશે અને તેની શરૂઆત 10 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી થશે. ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ T20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ પછી, જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ/યુએસએમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ પહેલા, ટીમને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે. ICC T20 વર્લ્ડ કપ 2021માં નિરાશાજનક પ્રદર્શન બાદ દ્રવિડે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. ભારત આ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. રાહુલ દ્રવિડની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી.


