મોટી પાનેલીમાં વરસાદ વચ્ચે જય અંબે ગરબીના કાર્યકરો દ્વારા ગરબી મંડપ ગોઠવાનું શરૂ
Share
SHARE
ગુજરાતના સૌથી મોટા આસ્થાના પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવરાત્રિને અંતિમ તૈયારીઓમાં ગરબી મંડળો મશગુલ બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે શક્તિપીઠો અને મોટા દેવી મંદિરોમાં નોરતાને લઈને તૈયારીઓ થઈ રહી છે. નોરતાને લઈને માઈભક્તોમાં પણ ખૂબ જ ઉલ્લાસ અને આસ્થા જોવા મળી રહ્યો છે. આગામી 3 ઓકટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજરોજ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં વરસતા વરસાદના અને ગરબીના મુહૂર્તને પગલે દિવસે ગરબી મંડપ ગોઠવવાનું કાર્ય જય અંબે ગરબીના કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.