મધ્યપ્રદેશના ઈન્દોરના વેપારી રાજા રઘુવંશી હત્યાકાંડમાં હવે પોલીસ તપાસ એક મહત્વના મુદ્દે પહોંચી ગઈ છે. શિલોંગ પોલીસે રવિવારે આ કેસમાં સહઆરોપી સિલોમ જેમ્સને લઈને ઈન્દોરના MR-3 સ્થિત હરે કૃષ્ણા વિહાર સોસાયટીના તે ફ્લેટમાં લઈ ગઈ, જ્યાં સોનમ રઘુવંશી હત્યા બાદ કેટલાક દિવસ રોકાઈ હતી. અહીં તેની એક કાળા કલરની બેગ ગાયબ થઈ ગઈ હતી, આ બેગ હવે હનીમૂન હત્યાકાંડનો સૌથી મોટો રાજ બની ગઈ છે. સિલોમ જેમ્સ ઈન્દોરમાં પ્રોપર્ટી ડિલરનું કામ કરે છે.
હત્યાના પૂરાવા છુપાવવાના ષડયંત્ર હેઠળ તે કાળી બેગને સળગાવી દીધી!
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિલોમ જેમ્સે સોનમ રઘુવંશીના કહેવા પર કાળી બેગને ઠેકાણે લગાવી દીધી હતી, આ બેગમાં હત્યા સાથે જોડાયેલા ઘણા મહત્વના પૂરાવા, રોકડ, મોબાઈલ અને અન્ય દસ્તાવેજ હાજર હતા. જ્યારે શિલોંગ પોલીસે ફ્લેટની તપાસ કરી તો ત્યાંથી માત્ર સળગેલા અવશેષો જ મળી આવ્યા હતા, આ અવશેષોને ફોરેન્સિક તપાસ માટે FSL ટીમે કબ્જામાં લઈ લીધા છે. તપાસ એજન્સીઓને શંકા છે કે સિલોમ જેમ્સે હત્યાના પૂરાવા છુપાવવાના ષડયંત્ર હેઠળ તે કાળી બેગને સળગાવી દીધી હતી.
1 મહિનાનું ફ્લેટનું ભાડું 17,000 રૂપિયા હતું
પોલીસની તપાસમાં સામે આવ્યું કે હરે કૃષ્ણા વિહારનો આ ફ્લેટ મૂળ રૂપે વિશાલ ચૌહાણ નામના વ્યક્તિએ 30 મેએ ભાડા પર લીધો હતો. વિશાલ આ હત્યાકાંડના સહઆરોપી છે અને ઈન્દોરમાં એક પ્રોપર્ટી મેનેજમેન્ટ ફર્મ ચલાવે છે. ફ્લેટનું ભાડું 17,000 રૂપિયા પ્રતિ મહિનો નક્કી થયું હતું. તેને સિલોમ જેમ્સે ઉપલબ્ધ કરાવ્યો હતો. અહીં હત્યા બાદ સોનમ રઘુવંશી ઘણા દિવસ સુધી છુપાઈને રહી હતી. આ દરમિયાન તેને બ્લેક બેગ પણ છુપાવી અથવા નષ્ટ કરી દીધી.
2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે 11 મેએ રાજા રઘુવંશીએ સોનમ સાથે ઈન્દોરમાં લગ્ન કર્યા હતા. 20 મેએ બંને હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયા હતા પણ 23 મેએ રાજા ગુમ થઈ ગયો હતો અને 2 જૂને તેનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. તેની સાથે વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.