- ટેક્નિશિયનને સાથે રાખી બ્રિજનું સમારકામ થશે
- નિષ્ણાંતો મત મુજબ બ્રિજનું સમારકામ કરાશે
- ઐતિહાસિક ધરોહરની જાળવણી મુજબ કામગીરી
રાજકોટના ગોંડલમાં જર્જરિત બ્રિજનો જે વિવાદ છે તે હજી સુધી શાંત નથી થયો ગોંડલના જર્જરિત બ્રિજના વિવાદ મામલે હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગોંડલના જર્જરિત બ્રિજ મામલે હવે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ જાહેર કરવામાં આવ્યું છે.
ટેક્નિશિયનને સાથે રાખીને બ્રિજનું કામ શરૂ કરાશે
ગોંડલના જર્જરિત બ્રિજ મામલે હવે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ટેક્નિશિયનને સાથે રાખીને બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે. જેમાં ઐતિહાસિક ધરોહર જળવાઇ રહે તે મુજબ કામગીરી કરવામાં આવશે.
સરકારે ભવિષ્યમાં હાલાકી ના પડે તેની બાંહેધરી આપી
મહત્વનું છે કે, નિષ્ણાંતોના મત મુજબ આ બ્રિજનું સમારકામ કરવામાં આવશે તે પણ આ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે. આપણે જોઈએ છે કે અનેક જગ્યાઓ પર કોઈ બ્રિજ કે રોડ રસ્તાની કામગીરી પૂરી થાય ને તરત જ તે એવી જ હાલતમાં થઈ જાય છે તેવું અનેકવાર બને છે. પણ આ વખતે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં કોઈને હાલાકી ન પડે તેવી બાંહેધરી સરકારે આપી છે.


