રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
અગ્ર ગુજરાત, રાજકોટ
રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે કે રાજકોટના પ્રતિષ્ઠિત રિયલ્ટર અને Realtors Welfare Association of Rajkotના પ્રમુખ અશ્વિન ઉનડકટને National Association of Realtors – India (NAR-India) દ્વારા 2026-27 માટે Chair (Business Development) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અશ્વિન ઉનડકટ 1980થી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સક્રિય છે અને તેઓ “અમર એસ્ટેટ એજન્સી”ના સંચાલક તરીકે લાંબા સમયથી કાર્યરત છે. તેમના વિશાળ અનુભવ અને વ્યવસાયિક દૃષ્ટિકોણને કારણે તેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક વિશ્વસનીય નામ તરીકે ઓળખાય છે. તેમણે વર્ષોથી મેમ્બરશિપ વિકાસ, બિઝનેસ નેટવર્કિંગ અને પ્રોફેશનલ ગ્રોથ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. Realtors Welfare Association of Rajkot ના પ્રમુખ તરીકે તેમણે એસોસિએશનને મજબૂત બનાવી અને મેમ્બર્સ માટે નવી તકો ઉભી કરી છે.
આ નિમણૂંકથી રાજકોટ શહેર તથા સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે વધુ પ્રતિનિધિત્વ મળશે અને નવા અવસર સર્જાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશનના તમામ સભ્યોએ અશ્વિન ઉનડકટને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.


