By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ ડેરીનું ગોપાલ નમકીન સાથે બ્રાન્ડ સેટલમેન્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

રાજકોટ ડેરીનું ગોપાલ નમકીન સાથે બ્રાન્ડ સેટલમેન્ટ

agragujaratnews
Last updated: 2024/03/15 at 7:51 PM
1 year ago
Share
રાજકોટ ડેરીનું ગોપાલ નમકીન સાથે બ્રાન્ડ સેટલમેન્ટ
SHARE

રાજકોટ ડેરીની ૧૯૬૧થી અમલમાં આવેલી ડેરીની ગોપાલ બ્રાન્ડ ગોપાલ નમકીનને વાપરવા દેવા માટે નજીવી રકમમાં થયું સમાધાન

રાજકોટ ડેરીએ ર૦૨૨ના ઓગષ્ટમાં ગોપાલ નમકીનને ગોપાલ બ્રાન્ડ વાપરવાની લીલીઝંડી આપી દીધી

કરોડોની બ્રાન્ડ પાણીના ભાવે આપી દીધાના ઉઠયા આક્ષેપ : કાનૂની લડતના થશે મંડાણ

રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લીમીટેડ કે જે રાજકોટ ડેરીના નામે ખ્યાતનામ છે અને ૧૯૬૧માં જેની સ્થાપના  થઇ છે તે રાજકોટ ડેરીની પ્રખ્યાત ગોપાલ બ્રાન્ડ ગોપાલ નમકીનને ઉપયોગ કરવા માટે નજીવી રકમમાં આપી દીધાનો ઘટસ્ફોટ થયો છે. જો કે આ અંગે રાજકોટ ડેરીના પૂર્વ સંચાલકો અને મેનેજમેન્ટ દ્વારા એવો બચાવ થાય છે કે રાજકોટ ડેરીએ દુધના બિઝનેસમાં ન આવવાની શરતે કાનૂની ખર્ચની રકમ લઇ ગોપાલ નમકીનને આ બ્રાન્ડ વાપરવા દેવાના કરાર થયા છે.

Contents
રાજકોટ ડેરીની ૧૯૬૧થી અમલમાં આવેલી ડેરીની ગોપાલ બ્રાન્ડ ગોપાલ નમકીનને વાપરવા દેવા માટે નજીવી રકમમાં થયું સમાધાનરાજકોટ ડેરીએ ર૦૨૨ના ઓગષ્ટમાં ગોપાલ નમકીનને ગોપાલ બ્રાન્ડ વાપરવાની લીલીઝંડી આપી દીધીકરોડોની બ્રાન્ડ પાણીના ભાવે આપી દીધાના ઉઠયા આક્ષેપ : કાનૂની લડતના થશે મંડાણશું કહે છે કે ગોપાલ ડેરીના એમ.ડી. નરેન્દ્ર શર્મા?નિર્ણાયક અંગે કેટલાક સવાલો

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ડેરીના ૭૪ હજાર સભાસદોને અંધારામાં રાખીને ૨૦૨૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં રાજકોટ ડેરીના મેનેજમેન્ટે આ ઠરાવ પાસ કરી લીધો છે અને કોઇ કારણોસર આ મામલે રાજકીય હરીફોએ વિગતો બહાર લાવતા ખળભળાટ મચી ગયો છે. સામાપક્ષે રાજકોટ ડેરીએ સમગ્ર સોદા અંગે તેમની વેબસાઇટ અથવા અન્ય કોઇપણ જગ્યાએ વિગતો જાહેર કરી નથી. એથી રાજકોટ ડેરીનું સમગ્ર મેનેજમેન્ટ શંકામાં આવ્યું છે.

અત્રે એ યાદ આપવું જરૂરી છે કે રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો હાલ દબદબો છે. રાજકોટ ડેરીના ચેરમેન તરીકે હાલ ગોરધન ધામેલીયા છે. પરંતુ આ સમગ્ર સોદા સમયે કોણ હતું અને ત્યારબાદ સમગ્ર સોદો થઇ ગયો અને ગોપાલ નમકીનને ગોપાલ બ્રાન્ડ અડધી અર્પણ કરી દેવામાં આવી તેના પાછળ કોઇ અંડર ટેબલ પ્રવૃતિ થઇ છે કે કેમ તે અંગે શંકાના વાદળો ઘેરાયા છે.

આ અંગે ‘અગ્ર ગુજરાત’ દ્વારા ગોરધન ધામેલીયાનો સંપર્ક કરવા અનેક પ્રયાસો થયા છે. પરંતુ રાજકોટ ડેરીના ચેરમેનનો સંપર્ક થઇ શકયો નથી. સહકારી સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૨ની સાલમાં ગોપાલ નમકીન અને રાજકોટ ડેરીના બોર્ડ વચ્ચે બંધ બારણે આ સમાધાન થયું હતું. જે અંગે ડેરીના ૭૪ હજાર જેટલા સભ્યોને વિશ્વાસમાં લેવાયા નથી. સહકારી સૂત્રોના જણાવ્યા મુજબ માર્કેટ પ્રાઇઝમાં આ બ્રાન્ડ મુકવામાં આવે તો તેની કિંમત કરોડો રૂપિયા થાય. છતાં બોર્ડ ઓફ ડિરેકટરે ગોપાલ નમકીનને નજીવી રકમમાં આ ગોપાલ બ્રાન્ડ નેમ વાપરવા શા માટે છુટ આપી દીધી તે સવાલ છે. આ બાબતે ૨૦૨૨માં સેટલમેન્ટ થઇ ગયું હોવા છતાં અત્યાર સુધી આ બાબતે ડેરીના મેનેજમેન્ટે વિગતો કેમ છુપાવી તે પણ સભાસદોમાં સવાલ પૂછાઇ રહ્યો છે.

 

શું કહે છે કે ગોપાલ ડેરીના એમ.ડી. નરેન્દ્ર શર્મા?

રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લીમીટેડ રાજકોટ ડેરીના નામે જાણીતી દુધની ડેરીના મેનેજીંગ ડિરેકટર નરેન્દ્ર શર્માની ‘અગ્ર ગુજરાત’એ રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર બાબત અંગે પૃચ્છા કરી હતી. તેમણે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ કેસ ૨૦૦૮ની સાલનો હતો. જે તે સમયે ગોપાલ નમકીને ગોપાલ નામનો ઉપયોગ કરતાં ગોપાલ ડેરીએ બ્રાન્ડ અને રજીસ્ટ્રેશનના કન્સલ્ટન્ટ યશવંત જનાણી એન્ડ કંપની (જે રાજકોટ ડેરીના આ બાબતના લીગલ સલાહકાર છે) તેમની કાનૂની સલાહ મુજબ ગોપાલ નમકીનને ઓબ્જેકશન અરજી કરી હતી. ત્યારબાદ આ કેસ તબક્કાવાર લંબાયો હતો અને આ માટે રાજકોટ ડેરીને કાનૂની ખર્ચ થયો હતો. એક તબક્કે આ સલાહકાર જનાણીએ વાંધા અરજી કરી હતી. તેમણે ડેરીના મેનેજમેન્ટને એવી સલાહ આપી હતી કે આ કેસ ઉભો નહી રહે એટલે તે રકમ લઇ સમાધાન કરવું હિતાવહ છે. આથી રાજકોટ ડેરીને કુલ રૂ.૧પ.૫૬ લાખનો ખર્ચ થયો હતો તે ખર્ચ ગોપાલ નમકીને આપ્યો હતો અને આપસી સમજુતીથી એક સેટલમેન્ટ કરાર થયો હતો. જે મુજબ ગોપાલ નમકીન માત્ર નમકીન માટે ગોપાલ બ્રાન્ડનો ઉપયોગ કરી શકશે. જયારે રાજકોટ ડેરી દુધ અને બેકરીની આઇટમ માટે ગોપાલ બ્રાન્ડનો ઉપયોગ કાયમ રાખશે. આમ આપસી સમજુતીથી આ મામલો જે-તે સમયે  સુલજી ગયો હતો. 3૦-૧૧-૨૦૨૨ના રોજ આ અંગે બંને પક્ષે ખુલાસો થયો હતો. જેમાં એક પક્ષે રાજકોટ ડેરીનું બોર્ડ અને બીજા પક્ષે ગોપાલ નમકીનનું મેનેજમેન્ટ રહ્યું હતું.

એમ.ડી.નરેન્દ્ર શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વિવાદ થવાથી આ નામ ભગવાનને લગતુ હોવાથી કોઇ એકનો હક્ક ન રહે તો રાજકોટ ડેરીના ૭૪ હજાર સભાસદોના હિતને નુકશાન પહોંચે તેમ હોવાથી પણ આ સમાધાન કરવામાં આવ્યું હતું. જો કે આ સમયે જે-તે સમયના એમ.ડી. વિનોદ વ્યાસની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. હાલના એમ.ડી. નરેન્દ્ર શર્મા જે-તે સમયે રાજકોટ ડેરીમાં ફરજ બજાવતા ન હતાં.

નિર્ણાયક અંગે કેટલાક સવાલો

  • રાજકોટ ડેરીની જૂની બ્રાન્ડ ગોપાલ નમકીનને શા માટે આપી દેવાઇ?
  • ગોપાલ નમકીને જયારે ગોપાલ બ્રાન્ડનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે તેની સામે લીગલ કેસ કેમ ન થયો?
  • બ્રાન્ડ એટર્ની યશવંત જનાણી એન્ડ કંપનીએ માત્ર વાંધા અરજી જ શા માટે આપી?
  • કોર્ટ કાર્યવાહી જે -તે સમયે શા માટે ન થઇ?
  • ૨૦૨૨માં જયારે સોદો થયો ત્યારે ૭૪ હજાર સભાસદોને વિશ્વાસમાં કેમ ન લેવાયા?
  • ૨૦૨૨માં આ બ્રાન્ડનું સેટલમેન્ટ થયું ત્યારે બ્રાન્ડ વેલ્યુ માટે ઇન્ટરનેશનલ એજન્સીની સેવા કેમ ન લેવાઇ?
  • માત્ર ૧૫.૫૬ લાખમાં રાજકોટ ડેરીની બ્રાન્ડ આપતા પહેલા કાનૂની કાર્યવાહી કેમ ન થઇ?

You Might Also Like

Bihar પોલીસની મોટી કાર્યવાહી, 7 મહિનામાં 6,531 લીટર દારુ કર્યો જપ્ત, 45 તસ્કરોની કરી ધરપકડ

Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ

Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી

Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ

US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
હેલ્થ

Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ

By 4 days ago
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
શું તમને વારંવાર થઇ જાય છે ગેસ? તમારા ડાયટમાં આ વસ્તુ તો નથી ને?
Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?