By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    10 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: પીએમ મોદી, ગૃહમંત્રી સહિત નેતાઓએ આપી મૃતકોને શ્રદ્ધાંજલિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: પીએમ મોદી, ગૃહમંત્રી સહિત નેતાઓએ આપી મૃતકોને શ્રદ્ધાંજલિ

agragujaratnews
Last updated: 2024/05/25 at 11:08 PM
2 years ago
Share
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: પીએમ મોદી, ગૃહમંત્રી સહિત નેતાઓએ આપી મૃતકોને શ્રદ્ધાંજલિ
SHARE

  • TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત
  • મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ
  • પીએમ મોદીએ મૃતકો પ્રત્યે વ્યક્ત કર્યું દુઃખ 

રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

તો, રાજકોટમાં TRP મોલમાં આવેલ ગેમ ઝોનમાં લાગેલ આગને પગલે ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરી છે અને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાયની જાહેરાત કરતાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 

PM મોદીએ કરુણાંતિકાને લઈને વ્યક્ત કર્યું દુઃખ

TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને પીએમ મોદીએ ટ્વિટર (X) પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે, રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું, જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવ્યા તેમની સાથે છું, અને આગમાં ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું. તો અન્ય એક ટ્વિટમાં પીએમ મોદી લખ્યું હતું કે રાજકોટમાં આગની ઘટનાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે. ગુજરાતનાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઘટનાને લઈને ચર્ચા કરી છે અને શક્ય તમામ સહાયતા પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઇ સહાયની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાને લઈને ટ્વિટ કરતાં સમગ્ર ઘટનાની તપાસ માટે SITની રચના કરવાની જાહેરાત કરતાં મૃતક પરિવારો માટે 4 લાખ અને ઇજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરી છે. તો સાથે સાથે તેમણે લખ્યું છે કે આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.

અગ્નિકાંડ પર ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યું દુઃખ

રાજકોટના TRP ગેમ ઝોન કરુણાંતિકાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે આ ઘટનાથી અત્યંત વ્યથિત છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી આ અકસ્માત અંગે જાણકારી મેળવી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુ:ખદ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

રાહુલ ગાંધીએ શોકાકુળ પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

તો કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ રાજકોટ કરુણાંતિકાએ લઈને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે રાજકોટ ગેમઝોનમાં માસૂમ બાળકોની સાથે અનેક લોકોના મોતના સમાચાર ખૂબ જ આધાતજનક છે. રાહુલ ગાંધીએ તમામ શોકાકુળ પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે તો સાથે સાથે ઘાયલોના જલ્દી સજા થવા માટે પ્રાર્થના કરી છે. તો સાથે સાથે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને અપીલ કરતાં લખ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓને અનુરોધ છે કે તેઓ રાહત અને બચાવ કામગીરીમાં વહીવટી તંત્રની શક્ય તમામ મદદ કરે. તેમજ ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પાસે અપેક્ષા છે કે આ ઘટનાની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરીને તમામ શોકમગ્ન પરિવારોને ન્યાય અપાવે.

રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો


આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. તો, હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં એક પણ મૃતદેહ મૂકવાની જગ્યા નથી રહી. એક તરફ મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં આક્રંદ કરી રહ્યા છે તો બીજી બાજુ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે જગ્યા નથી રહી. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે. 2 કલાકથી વધુ સમયથી મૃતદેહ બહાર રાખવા પડ્યા હતા.

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ

રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
રાજકોટ

આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે

Editor By Editor 9 hours ago
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?