- પી.ટી.જાડેજા, રમજુ જાડેજાને બંગડી પહેરાવીશ: પદ્મિનીબા
- કોંગ્રેસ તરફી થઈ ગયા છો, ઝંડો લઈને નીકળ્યા છો
- રાજકારણ બહેનોની સામાજિક લડાઈ નથી
સંકલન સમિતિ સામે પદ્મિનીબા વાળાનું મોટું એલાન સામે આવ્યું છે. જેમાં પદ્મિનીબાએ જણાવ્યું છે કે સંકલન સમિતિના 5 લોકોને બંગડી પહેરાવીશ. પી.ટી.જાડેજા, રમજુ જાડેજાને બંગડી પહેરાવીશ. તેમજ કરણસિંહને પણ બંગડી પહેરાવીશ. સમાજ માટે નહીં પણ સમાજનું કામ બગાડે છે.
કોંગ્રેસ તરફી થઈ ગયા છો, ઝંડો લઈને નીકળ્યા છો: પદ્મિનીબા
કોંગ્રેસ તરફી થઈ ગયા છો, ઝંડો લઈને નીકળ્યા છો. હિન્દુત્વ મુદ્દે મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ. સંકલન સમિતિ સાથે હું નથી, સમાજને ગુમરાહ કરે છે. ચારથી પાંચ લોકો પોતાની મરજીથી સંકલન સમિતિ ચલાવે છે. પદ્મિનીબા સંકલન સમિતિના 5 લોકોને બંગડી પહેરાવશે. જેમાં ત્રણ લોકોના નામ આપ્યા છે. તેમજ રાહુલ ગાંધીના નિવેદન સામે પદ્મિનીબા વાળાનું નિવેદન આવ્યું છે. જેમાં પદ્મિનીબાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીનું મોસાળ ક્યું છે તે જણાવે. આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે. રાહુલ ગાંધી મુદ્દે સંકલન સમિતિએ કેમ મૌન લીધું.
રૂપાલાનો વિરોધ યથાવત રહેશે: પદ્મિનીબા
રાજકોટમાં પદ્મિનીબા વાળાએ વધુમાં જણાવ્યું છે કે અત્યારે અમારી લડત ચાલુ જ છે. રૂપાલાનો વિરોધ યથાવત રહેશે. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે. રાહુલ ગાંધીનું મોસાળ ક્યું છે જે જણાવે. આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે જે બકાલુ વેચીને જેલમાં ગયા નથી. હાલ જે રજવાડા વિરૂદ્ધ બોલે છે તેની તમામની સામે લડવું જોઇએ. આપણે બધા સામે વિરોધ કરવો જોઈએ. અત્યારે રાજકારણ આવ્યું છે. રાજકારણ બહેનોની સામાજિક લડાઈ નથી. સંકલન સમિતિ જે કામ કરે છે તેને લઈને હાલ સંમેલન જ બોલાવે છે.


