- અગ્નિકાંડ મામલે રાઘવજી પટેલનું નિવેદન
- SITના રિપોર્ટ બાબતે કહ્યું વેઇટ એન્ડ વોચ
- ભ્રષ્ટાચાર નહીં ચલાવવામાં આવે
રાજકોટમાં TRP ગેમઝોનમાં જએ અગ્નિકાંડ થયો તેમાં 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ હતી. આ મામલે SITની રચના કરવામાં આવી છે જએ આ સમગ્ર ઘટનાની તપાસ કરી છે. હવે આ SITનાં રિપોર્ટ મુદ્દે મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે આ મામલે શું કહ્યું વાંચો આ અહેવાલમાં.
SITના રિપોર્ટ મુદ્દે રાઘવજીનું નિવેદન
અગ્નિકાંડ મામલે હવે મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ કે નાં ભ્રષ્ટાચારને ચલાવી લેવો જોઈએ. પીએમ મોદીની નેઈમ છે કે ભ્રષ્ટાચાર નહીં ચલાવવામાં આવે. આ સાથે જ તેમને જ્યારે SITના રિપોર્ટ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વેઇટ એન્ડ વોચ.
ક્યારે મળશે ન્યાય?
રાજકોટનાં અગ્નિકાંડમાં 27 જેટલા માસૂમ લોકોએ તેમના જીવ ગુમાવવા પડ્યા. કેટલાય પરિવારોનાં માળા વિખરાય ગયા.આ અગ્નિકાંડને આટલા દિવસો વીતી ગયા પણ હજી સુધી કોઈ નિર્દોષને ન્યાય નથી મળી શક્યો. કોઈકની ભૂલનાં કારણે, કોઈ બીજાએ કરેલા ભ્રષ્ટાચારના કારણે માસુમોએ જીવ ગુમાવ્યા અને કેટલાય પરિવારજનોના માળા વિખરાય ગયા. હજી પણ ક્યારે ન્યાય મળે તેના વિશે કઈ કહી શકાય નહીં.


