સમુહ ધ્વજવંદન સમુહ રાષ્ટ્રગાન, શહીદોને શ્રધ્ધાંજલી અપાશે
રાજકોટમાં સોમવારે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રા
મુખ્ય આકર્ષણ ભારત માતાનો મુખ્ય ફલોટ, શહીદ કુટીર, ૨૫૧ ફૂટ લંબાઇ ધરાવતો રાષ્ટ્રધ્વજ રહેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીએ રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજીક સમરસતા મજબૂત બનાવવા દેશમાં પ્રસરેલી બટવારાની ભાવનાને દૂર કરવા અને હમ સબ એક હૈનો નારો સિધ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા ૧૧ વર્ષથી રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતા નો મુખ્ય ફ્લોટ, શહીદ કુટીર તથા 251 ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ રહેશે જેને ચાલી ને સમગ્ર રૂટ માં લઇ જવામાં આવશે. આ યાત્રા માં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓ ના જીવંત પાત્રો પણ રહેશે. યાત્રા ની પુર્ણાહુતી બાદ સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદો ને સમૂહ શ્રદ્ધાંજલી તેમજ ભારત માતા પૂજન નો કાર્યક્રમ રહેશે.
જાહેર યાત્રામાં નારી શક્તિ નું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમ માં પુરુષો સાથે ખભે ખભો મિલાવી ને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ મોટી સંખ્યા માં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિ ના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રા નું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પો થી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.
યાત્રાનું પ્રસ્થાન સવારે ૧૦:30 વાગ્યે બાલભવન ગેટ કિશન પરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ડૉ. યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, કરણપરા સમાપન સવારે 12:00 સમાપન થશે.
આ યાત્રાના આકર્ષણોમાં 251 ફુટ નો રાષ્ટ્ર ધ્વજ, દેશના શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમર જવાન ફ્લોટ્સ બનાવવા મા આવશે., સંખ્ય બાઇક સવારો તિરંગા સાથે યાત્રા મા જોડાશે., ફ્રીડમ ફાઈટર ના જીવંત પાત્રો જેવાકે ભારત માતા, ભગતસિંહ, ગાંધીજી , જાસી કી રાની., કૂરુક્ષેત્ર ટ્રેનિંગ સેંટર ના બાળકો દ્વારા શસ્ત્ર પ્રદર્શન, ડી.જે. મા દેશ ભક્તિ ના ગીતો સમગ્ર વાતાવરણ ને દેશ ભક્તિ ના રંગે રંગશે., પુણા હુતી સ્થાન પર આર્મી ના અફસર દ્વારા પ્રથમ ભારત ના રાષ્ટ્ ધવજ ને ફરકાવવા આવશે અને સમૂહ મા ધવજ વંદન કરવામાં આવશે. તથા સમૂહ મા હજારો લોકો દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવશે. સ્ટેજ પર સમૂહ મા લોકો દ્વારા ભારત માટે શહીદ થયેલ જવાનો નો પુષ્પાંજલિ પાઠવવામાં આવશે. ભારત માતા નું કુમ કુમ , ફૂલ દ્વારા પૂજન કરવામાં આવશે.
ધ્વજને પુરી યાત્રા મા લઈ ને ચાલવા ની જવાબદારો K S FOUNDATION કિશન ભાઈ સેલાર તથા ટીમ અને ગૌ રક્ષા ટીમ અભિષેક ભાઈ આશરા તથા ટિમ ના સભ્યો એ લીધી છે. ક્લીન અપ રાજકોટ ગ્રૂપ અલગ અલગ સિવિક સેન્સ તથા સાફ સફાઈ ના સ્લોગનો સાથે યાત્રા મા જોડાશે. થેલેસેમિયા ગ્રૂપ ના બાળકો રક્તદાન ના મેસેજ સાથે યાત્રા માં જોડાશે. માલધારી સમાજ દ્વારા રાજેશ્રી ટોકીઝ પાસે યાત્રા નું સ્વાગત કરવામાં આવશે. કરણપરા ગરબી મંડળ દ્વારા કરણપરા ચોક ખાતે સમગ્ર પુણા હુતી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે. તેમજ જુદા જુદાં વ્યાપારી અસોશિએશન તથા સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રા નું અલગ અલગ જગ્યા એ સ્વાગત કરવા માં આવશે. બડા બજરંગ ફાઉંડેશન , યુવા શક્તિ સેવા સંઘ , હિન્દુ સ્વરાજ ગ્રૂપ , કનૈયા ગ્રૂપ બેડી પરા, શ્રી રામાનંદી નવનિર્માન સેના, ક્લીન અપ રાજકોટ, ગૌ રક્ષા દળ, ગૌ રક્ષા ટિમ, કુરુક્ષેત્ર ટ્રેનિંગ સેંટર રાજકોટ, કે એસ ફાઉંડેશન, હિંદુ યુવા વાહિની, હિન્દૂ જાગરણ મંચ, ધર્મ જાગરણ મંચ, રાઇઝિંગ ઇન્ડિયા ગ્રૂપ, બાબા સેવા દળ , જય અંબે ગરુડ ગરબી મંડળ, તલવાર ગ્રૂપ ,રોકડીયા હનુમાનજી ગ્રુપ, કોઠારીયા નાકા મિત્ર મંડળ, નક્ષ ગ્રૂપ, થેલેસમિયા સોસાઇટી રાજકોટ , શ્રી વિજયવંત હનુમાનજી ગ્રુપ , તથા અન્ય સામાજિક સંસ્થાઓ આ યાત્રામાં જોડાશે.
આ યાત્રાને સફળ બનાવવા માટે કલ્પેશ ગમારા 8128888835, ભાવિન સોની 9033944480, આશિષ મૂલીયાના, ધ્રુવ કુંડેલ, જીતેશ રાઠોડ, કિશન ભાઈ સોહલા, કાનાભાઈ કુબાવત જહેમત ઉઠાવી રહ્યા છે.
અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિના કમલેશભાઇ ગમારા, કાનાભાઇ કુબાવત, ભાણાભાઇ પટેલ, નિલેશભાઇ જોશી, આશીષભાઇ મુલીયાણા, કિશનભાઇ સોહલા, જીજ્ઞેશભાઇ રાઠોડ, આશાબેન ભટ્ટી, ક્રિષ્નાબેન સાધુ નિમાવત, ભાવનાબેન કલોલા, પ્રીતિબેન પટેલ, અવનીબેન બગડાઇ સહિતનાએ માહિતી આપી હતી.


