રાજકોટ ST ડિવિઝનના બસ સ્ટેશનમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ ખડકાયા
આટકોટ બસ સ્ટેશનમાં ત્રણ દિવસથી શૌચાલયમાં પાણી બંધ, જયાં ત્યાં પિચકારીથી લાલ ડાઘા, મુસાફરો પર રોગચાળાનો જળુંબતો ખતરો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ભાવનગર રોડ પરના આટકોટ બસ સ્ટેશન ની હાલત કફોડી બની છે. ઠેર ઠેર કચરાના ગંજ ગંદકી અને ઉકરડાના ઢગલા હોય તેઓ માહોલ સર્જાયો છે આ અંગે મુસાફરોની ફરિયાદ છે કે બે ત્રણ દિવસથી શૌચાલયમાં પાણી પણ આવતું નથી અને સફાઈ કાર્યમાં ધાંધિયા થી માંડી અનેક દુવિધાઓ મુસાફરોને પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનનો આટકોટ બસ સ્ટેશનમાં જાણે કે ઉલાળિયો થતો હોય તે પ્રકારે સ્વચ્છ ભારતનું સુરસુરિયું થઈ ગયું છે. સરકાર લાખો અને કરોડો રૂપિયાના એસ.ટી બસ સ્ટેશનો બનાવી ખંઢેર બનાવશે તો ચલાવી નહીં લેવાય કારણ કે સરકારે જે ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે તેમાં મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા મળે એ હેતુને ધ્યાનમાં લઇ વખતો વખત ભાડા વધારો કરવામાં આવ્યો છે અને ટૂંકા ગાળામાં એસટી તંત્ર દ્વારા 38% જેવો ભાડા વધારો કરી અને નિયમિત મુસાફરી કરતા મુસાફરોના પાંચ ભાડામાં 15 દિવસના ભાડાને બદલે 18 દિવસનું ભાડું કરી નાખવામાં આવ્યું છે.
એસટી તંત્ર મુસાફરો પાસેથી અંદાજે વાર્ષિક 2000 કરોડથી વધુ કમાણી કરી રહી છે ત્યારે મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે આંખમિચામણા કે ધૃતરાષ્ટ્ર નીતિ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. એસટી તંત્ર દ્વારા સફાઈ અંગેના પણ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરો પોતાના મળતિયાઓને એજન્સીઓને આપવામાં આવે છે અને સફાઈ નહીં થાય તો એજન્સી સામે ફરજિયાત દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 9426229396 પર મુસાફરોએ આટકોટમાં હજારો મુસાફરોને પડતી મુશ્કેલી અંગે ફોટોગ્રાફ અને વિડિયો ગ્રાફી સાથે ફરિયાદ કરવામાં આવી હતી. જે પગલે સમિતિ દ્વારા તાત્કાલિક કચરા ના ઢગલા અને સૌચાલયમાં પાણીના અભાવ અંગે રાજકોટ ડિવિઝન હેઠળ આટકોટ બસ સ્ટેશન કે જે જસદણ ડેપો મેનેજરના તાબા હેઠળ આવે છે. જે પગલે જસદણ ડેપો મેનેજરને આ બાબતે તાત્કાલિક આટકોટ બસ સ્ટેશનમાં સફાઈ કાર્ય હાથ ધરી પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે હજારો મુસાફરોને પડેલી મુશ્કેલીઓ અંગે જવાબદાર એજન્સી કે જવાબદાર અધિકારી સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ અને નિયમિત આ બસ સ્ટેશનમાં મુસાફરોને કોઈ પણ જાતની દુવિધા ભોગવવી ન પડે એ બાબતે તકેદારી રાખવા અપીલ કરી હતી. નિયમિત સફાઈ થવી જોઈએ અને પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે માટે મોનેટરીંગ થવું જોઈએ.



