- એક ક્વિન્ટલ વાટેલી હળદર – દેશી ઘી પણ મંગાવાયું
- પૂજન બાદ આ ચોખાને સમગ્ર દેશમાં રામભક્તો વચ્ચે વિતરીત કરાશે
- હળદર અને ઘીનો અક્ષતપૂજા માટે ઉપયોગમાં લેવાનાર ચોખામાં મિલાવવા માટે કરાશે
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણની જવાબદારી ધરાવતા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આગામી પાંચ નવેમ્બરના રોજ યોજાનારી અક્ષતપૂજા માટે 100 ક્વિન્ટલ ચોખા મંગાવ્યા છે. પૂજન બાદ આ ચોખાને સમગ્ર દેશમાં રામભક્તો વચ્ચે વિતરીત કરાશે. ટ્રસ્ટના સચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટે 100 ક્વિન્ટલ ચોખાનો ઓર્ડર કર્યો છે, આ ચોખાનો ઉપયોગ અક્ષતપૂજામાં કરાશે અને પછી તેને સમગ્ર દેશમાં રામભક્તો વચ્ચે વહેંચી દેવાશે. ચોખા ઉપરાંત એક ક્વિન્ટલ વાટેલી હળદર અને દેશી ઘીનો પણ ઓર્ડર કરાયો છે. રાયે કહ્યું હતું કે આ હળદર અને ઘીનો અક્ષતપૂજા માટે ઉપયોગમાં લેવાનાર ચોખામાં મિલાવવા માટે કરાશે અને પછી તેમને પિત્તળના કળશમાં રખાશે. રાયે કહ્યું હતું કે આ કળશોને આગામી પાંચ નવેમ્બરના રોજ થનારી અક્ષતપૂજા દરમિયાન ભગવાન રામના દરબાર સામે રખાશે અને પછી તેને વીએચપી દ્વારા શ્રાદ્ધાળુઓમાં વિતરીત કરાશે.