By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામકથા સ્વયં દુર્ગા છે, જગદંબા છે, કાલિકા છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

રામકથા સ્વયં દુર્ગા છે, જગદંબા છે, કાલિકા છે

agragujaratnews
Last updated: 2024/10/10 at 4:02 AM
10 months ago
Share
રામકથા સ્વયં દુર્ગા છે, જગદંબા છે, કાલિકા છે
SHARE

નવરાત્રિ તો આપણા માટે મંગલમય છે જ, પરંતુ એમાં જરા પણ અતિશયોક્તિ નથી કે ઘરમાં જો તમે `રામચરિતમાનસ’નું પારાયણ કરતા હો, તો તમારા ઘરમાં રોજ નવરાત્રિ છે. શિવની આરાધનાની એક રાત્રિ એટલે કે શિવરાત્રિ.

કૃષ્ણપક્ષની પ્રત્યેક ચતુર્દશીને આપણે શિવરાત્રિ જ માનીએ છીએ, પરંતુ મહાશિવરાત્રિનો એક વિશેષ દિવસ છે. શિવજી માટે એક રાત્રિનું આપણે વિશેષરૂપે જાગરણ કરીએ છીએ, અનુષ્ઠાન કરીએ છીએ, પરંતુ ભગવતી ભવાની માટે તો મનીષીઓએ નવ રાત્રિનું આયોજન કરીને માતૃપૂજાના મહિમાને શિખરે પહોંચાડ્યો છે. મારો કોઈ `રામચરિતમાનસ’ના પારાયણનો આગ્રહ નથી, પરંતુ એ મારો વિશ્વાસ છે કે જ્યાં જ્યાં `રામચરિતમાનસ’નું પારાયણ થઈ રહ્યું છે ત્યાં નવરાત્રિ છે. મને ખુશી છે કે આખી દુનિયામાં લોકો `માનસ’નું પારાયણ કરે છે.

તમારે કોઈ અનુષ્ઠાન કરવું હોય અને એ સફળ કરવું હોય તો પાંચ વસ્તુમાં નિષ્ઠા રાખવી. એમ કરશો તો દરેક તિથિ કાં તો મહાશિવરાત્રિ થઈ જશે અથવા દરેક નવ દિન નવરાત્રિ થઈ જશે. પ્રત્યેક સાધક માટે પાંચ નિષ્ઠા જરૂરી છે. એ પાંચ નિષ્ઠામાં થોડું આમતેમ થાય તો કદાચ અનુષ્ઠાન તો પૂરું થઈ જશે; જયજયકાર પણ થશે, અવશ્ય; પરંતુ જે આનંદ આવવો જોઈએ એ ન પણ આવે; વિશેષ પ્રસન્નતાથી જીવન ભરાઈ જવું જોઈએ એ કદાચ ન પણ થઈ શકે.

પાંચ નિષ્ઠા, જેમાંથી પ્રત્યેક સાધકને પસાર થવું પડે છે. ખાસ કરીને જ્યારે શાસ્ત્રનું અનુષ્ઠાન થાય છે ત્યારે એ જરૂરી છે. પછી રામકથા હોય, ભાગવતકથા હોય, દેવીભાગવત હોય, શિવપુરાણ હોય કે કંઈ પણ હોય. બધી રામકથા જ છે. `જો બોલે સો હરિકથા.’ સમગ્ર અસ્તિત્વ રામકથા ગાઈ રહ્યું છે. કોણ કોણ ગાઈ રહ્યું છે?

ગાબત બ્રહ્માદિક મુનિ નારદ.

બાલમીક બિગ્યાન બિસારદ.

ગાવત બેદ પુરાન અષ્ટદસ.

છઓ સાસ્ત્ર સબ ગ્રંથન કો રસ.

એનો મતલબ એ થયો કે આખું વિશ્વ રામકથા ગાઈ રહ્યું છે; પછી કોઈ પણ ચરિત્ર હોય.

તો પાંચ નિષ્ઠા. પહેલી નિષ્ઠા છે ગુરુનિષ્ઠા. જે વ્યક્તિમાં ગુરુનિષ્ઠા નથી એમનું અનુષ્ઠાન કદાચ યંત્રવત્ સફળ પણ થઈ જાય, પરંતુ જગદગુરુ આદિ શંકરાચાર્ય કહે છે એવી, પરમાત્માનાં દર્શનના દરવાજા ખૂલી જાય એવી પ્રસન્નતા ન પણ આવે. રામકથાના કોઈ પણ ગાયકમાં, શાસ્ત્રના કોઈ પણ ગાયકમાં ગુરુનિષ્ઠા હોવી જ જોઈએ. શાખાઓ બહુ ઉપર ચડી જાય પછી એને મૂળ ન દેખાય તો એ એનું દુર્ભાગ્ય છે! ક્યારેક ક્યારેક આપણે એટલા ઉન્નત થઈ જઈએ છીએ, એટલી પ્રગતિ કરી લઈએ છીએ કે મૂળમાં જેમના આશીર્વાદ છે એ તત્ત્વને, મૂળને આપણે ભૂલી જઈએ છીએ!

બીજી છે નામનિષ્ઠા. જેમની નામનિષ્ઠા કમજોર છે એમનું અનુષ્ઠાન પણ સફળ થતું નથી. તો નામનિષ્ઠા બહુ જરૂરી છે. ત્રીજી નિષ્ઠા છે શાસ્ત્રનિષ્ઠા. જેમને પોતાના શાસ્ત્ર ઉપર નિષ્ઠા નથી એ પંડિત હોઈ શકે, સાધુ ન હોઈ શકે. એ દરવાજો બંધ કરી શકે કે તમે આટલામાં જ રમો. એ દરવાજો ખોલી નથી શકતો કે તમે મુક્ત ગગનમાં ઘૂમો. શાસ્ત્રનિષ્ઠા હોવી જોઈએ. સાચી શાસ્ત્રનિષ્ઠા એ છે કે બીજાને બીજા કોઈ શાસ્ત્ર પર નિષ્ઠા હોય તો એની આલોચના કે ઉપેક્ષા ન કરે. જેમની જ્યાં પણ નિષ્ઠા હોય એ બધી નિષ્ઠાને સલામ કરે. ચોથી છે શિવનિષ્ઠા. જેમણે મહાદેવની નિષ્ઠા ગુમાવી છે એ માણસના અનુષ્ઠાનમાં આનંદ નથી હોતો, કેમ કે શિવ રામકથાના પ્રથમ સર્જક છે. હું સાકેતવાસી બ્રહ્મલીન પંડિત રામકિંકરજી મહારાજને શ્રદ્ધાપૂર્વક યાદ કરું; તેઓ કહેતા કે વાલ્મીકિ આદિકવિ છે, પરંતુ મહાદેવ અનાદિ કવિ છે.

રચિ મહેસ નિજ માનસ રાખા,

પાઈ સુસમઉ સિવા સન ભાષા.

જેમની મહાદેવની નિષ્ઠા કમજોર હોય; સંપ્રદાયની સંકીર્ણતાને કારણે જે મહાદેવથી દૂર ગયા હોય એ પ્રતિષ્ઠા પામી શકે છે, પરંતુ શિવકૃપા વિના એ સફળ નથી થઈ શકતા.

પાંચમી શબ્દનિષ્ઠા. માણસની પોતાની શબ્દનિષ્ઠા હોવી જોઈએ અને શબ્દનિષ્ઠા ત્યારે કમજોર થાય છે, જ્યારે સત્ય કમજોર હોય છે. વેશ બદલી શકાય છે, પરંતુ વૃત્તિ અને વાણીમાં પરિવર્તન કરવું બહુ કઠિન છે. `રામચરિતમાનસ’ના આરંભમાં વાણીની વંદના છે. `મંગલાનાં ચ કર્તારી વન્દે વાણીવિનાયકૌ.’ `માનસકાર’ પહેલાં વાણીની વંદના કરે છે; શબ્દની અધિષ્ઠાત્રિનું વર્ણન કરે છે. મહાત્મા ગાંધીબાપુના બોલ અસફળ નહોતા થતા. શા માટે? એમાં શબ્દનું સત્ય હતું; એ સત્યમાંથી નીકળેલા શબ્દો હતા.

પાંચ નિષ્ઠાથી જો આપણે આગળ વધીશું તો અનુષ્ઠાન ખૂબ જ આનંદથી આપણને ભરી દેશે. આપણી નિષ્ઠા ગુરુમાં કાયમ હોય; આપણી નિષ્ઠા આપણા શાસ્ત્રમાં કાયમ હોય; આપણી નિષ્ઠા નામમાં કાયમ હોય; આપણી નિષ્ઠા મહાદેવમાં કાયમ હોય; આપણી નિષ્ઠા આપણા શબ્દોમાં કાયમ હોય.

મહામોહુ મહિષેસુ બિસાલા

રામકથા કાલિકા કરાલા.

રામુ કામ સત કોટિ સુભગ તન.

દુર્ગા કોટિ અમિત અરિ મર્દન.

રામકથા સ્વયં દુર્ગા છે, જગદંબા છે, કાલિકા છે. રામકથાની પ્રથમ શ્રોતા પણ દુર્ગા છે. રામકથાની આદિ જ નહીં, અનાદિ પ્રથમ શ્રોતા દુર્ગા છે. દુર્ગા વિના કથા સાંભળી નથી શકાતી, કેમ કે કથા દુર્ગા છે; કથાનો નાયક દુર્ગા છે અને કથા સાંભળનારાં પણ અર્ધા દુર્ગા છે.

`રામચરિતમાનસ’માં ગોસ્વામીજીએ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષરૂપે ભવાનીનું દર્શન કરાવ્યું છે. `ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ.’ પહેલાં દુર્ગાનો પરિચય; ભવાનીનો, પાર્વતીનો, જે નામ આપવા માગો તે. ગોસ્વામીજી કહે છે, ભવાની શ્રદ્ધા છે. `ભગવદ્ગીતા’ ત્રણ પ્રકારની શ્રદ્ધાની ઉદ્ઘોષણા કરે છે. સાત્ત્વિકી, રાજસી અને તામસી. શ્રદ્ધાનાં ત્રણેય રૂપ `માનસ’માં મળે છે. સાત્ત્વિક શ્રદ્ધા પણ મળે છે, જે ભવાનીનું એક રૂપ છે. રાજસી અને તામસી રૂપમાં પણ મળે છે. મારી શ્રદ્ધા ગુણાતીત છે; વિશેષણમુક્ત શ્રદ્ધા છે. એક વ્યક્તિમાં તમારી સાત્ત્વિક શ્રદ્ધા હોય, પરંતુ એ વ્યક્તિમાં તમને સાત્ત્વિકતા ઓછી જોવા મળે તો તમારી સાત્ત્વિક શ્રદ્ધા ડામાડોળ થવાની સંભાવના છે. રાજસી શ્રદ્ધા પણ બહુ ટકાઉ નથી; તામસી શ્રદ્ધા તો બિલકુલ નહીં. ગુણાતીત શ્રદ્ધા હોવી જોઈએ. ન રજસ, ન તમસ્; કંઈ ન રહે. ભવાની એ શ્રદ્ધા છે. માટે ભવાનીની આગળ-પાછળ કોઈ વિશેષણ નથી.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ
રાષ્ટ્રિય

Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ

By 2 days ago
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી
World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?