વિદર્ભ ટીમે રણજી ટ્રોફી 2024-25નો ખિતાબ જીત્યો. VCA સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચ ડ્રો રહી. પ્રથમ બેટિંગ કરતા વિદર્ભે 379 રન બનાવ્યા. કેરળનો પહેલો દાવ 342 રનમાં સમાપ્ત થયો. પાંચમા અને અંતિમ દિવસની રમતના અંતે, વિદર્ભનો સ્કોર 375/9 હતો.
નિયમો મુજબ, વિદર્ભ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી. આ મેચના હીરો દાનિશ માલેવાર અને કરુણ નાયર રહ્યો, જેને પ્રથમ ઈનિંગમાં અનુક્રમે 153 અને 86 રન બનાવ્યા.
કેરળે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય
રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં કેરળે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વિદર્ભે પહેલી ઈનિંગમાં 379 રન બનાવ્યા, આમાં સૌથી વધુ સ્કોર દાનિશ માલવરે બનાવ્યો, તેને 153 રનની ઈનિંગ રમી. તેને 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ટુર્નામેન્ટમાં શાનદાર જોવા મળેલા રહેલા કરુણ નાયરે પહેલી ઈનિંગમાં 86 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. તેને બીજી ઈનિંગમાં સદી ફટકારી.
કેરળની પહેલી ઈનિંગ 342 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, આ આધારે વિદર્ભને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું. આ ઈનિંગમાં વિદર્ભ તરફથી દર્શન નાલકંડે, પાર્થ રેખાડે અને હર્ષ દુબેએ 3-3 વિકેટ લીધી.
વિદર્ભે ત્રીજો રણજી ટ્રોફી જીત્યો ખિતાબ
આ વિદર્ભ ટીમનો ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ છે. આ પહેલા ટીમ સતત બે વાર ચેમ્પિયન બની. ટીમે 2017-18માં પોતાનો પહેલો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો હતો. આ પછી, વિદર્ભે 2018-19નો ખિતાબ પણ જીત્યો. વિદર્ભ ટીમ ગયા સિઝનમાં રનર-અપ રહી હતી, તેને ફાઈનલમાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો.
રણજી ટ્રોફી ફાઈનલ ડ્રોના નિયમો
જો રણજી ટ્રોફીની ફાઈનલ મેચ ડ્રો થાય તો વિજેતા કેવી રીતે જાહેર થાય છે? આ પ્રશ્ન તમારા મનમાં પણ હોઈ શકે છે. હકીકતમાં, જો રણજી ટ્રોફીની અંતિમ મેચ ડ્રો થાય છે, તો પ્રથમ ઈનિંગના આધારે વધુ રન બનાવનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. વિદર્ભ અને કેરળ વચ્ચેની ફાઈનલ મેચમાં, વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 379 રન બનાવ્યા. કેરળે પહેલી ઈનિંગમાં 342 રન બનાવ્યા. વિદર્ભને પ્રથમ ઈનિંગના આધારે 37 રનની લીડ મળી.


